Champions Trophy : પાકિસ્તાનમાં આ ખેલાડીની કેપ્ટનશિપની કરિયરનો અંત, ટીમની હાર બાદ આપ્યું રાજીનામું

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં, ત્રણ ટીમો ગ્રૂપ સ્ટેજની મેચો પૂરી થાય તે પહેલા જ સેમિફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં યજમાન પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ તેમજ બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. આમાંથી એક ટીમના કેપ્ટને રાજીનામું ધરી દીધું છે.

| Edited By: | Updated on: Feb 28, 2025 | 9:27 PM
4 / 6
બટલરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નિર્ણય ટીમ અને તેની પોતાની સુખાકારી માટે સારો છે અને નવા કેપ્ટન આગામી સમયમાં કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે મળીને ટીમને આગળ લઈ જશે. બટલરે એ પણ સ્વીકાર્યું કે તેનું સુકાનીપદનું ભવિષ્ય આ ટુર્નામેન્ટના પરિણામ પર નિર્ભર છે અને કોચ મેક્કુલમ સાથે મળીને તે પોતાનું સ્થાન બદલવાની આશા રાખતો હતો પરંતુ આવું થઈ શક્યું નહીં અને ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ જતાં તેણે કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો.

બટલરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ નિર્ણય ટીમ અને તેની પોતાની સુખાકારી માટે સારો છે અને નવા કેપ્ટન આગામી સમયમાં કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે મળીને ટીમને આગળ લઈ જશે. બટલરે એ પણ સ્વીકાર્યું કે તેનું સુકાનીપદનું ભવિષ્ય આ ટુર્નામેન્ટના પરિણામ પર નિર્ભર છે અને કોચ મેક્કુલમ સાથે મળીને તે પોતાનું સ્થાન બદલવાની આશા રાખતો હતો પરંતુ આવું થઈ શક્યું નહીં અને ચેમ્પિયન્સ ટ્રોફીની ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઈ જતાં તેણે કેપ્ટનશીપ છોડી દેવાનો નિર્ણય કર્યો.

5 / 6
જોસ બટલરે 2022માં ઈંગ્લેન્ડની પૂર્ણકાલીન કેપ્ટનશીપ સંભાળી હતી. અનુભવી સુકાની ઇઓન મોર્ગનની નિવૃત્તિ બાદ તેણે ટીમને આગળ ધપાવી હતી અને તેની કેપ્ટનશીપ હેઠળ એક મોટી ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. તેની કેપ્ટનશિપમાં જ ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ ત્યારપછી ઈંગ્લેન્ડનું પ્રદર્શન સતત લથડતું રહ્યું.

જોસ બટલરે 2022માં ઈંગ્લેન્ડની પૂર્ણકાલીન કેપ્ટનશીપ સંભાળી હતી. અનુભવી સુકાની ઇઓન મોર્ગનની નિવૃત્તિ બાદ તેણે ટીમને આગળ ધપાવી હતી અને તેની કેપ્ટનશીપ હેઠળ એક મોટી ટુર્નામેન્ટમાં ટાઇટલ જીતી લીધું હતું. તેની કેપ્ટનશિપમાં જ ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ 2022 જીતીને ઈતિહાસ રચ્યો હતો. પરંતુ ત્યારપછી ઈંગ્લેન્ડનું પ્રદર્શન સતત લથડતું રહ્યું.

6 / 6
વર્લ્ડકપ 2023માં ટીમ પહેલા રાઉન્ડમાં જ ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી, જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024માં તે સેમીફાઈનલ રમી હતી પરંતુ ત્યાં ટીમ ઈન્ડિયા દ્વારા હારીને બટલરે બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આનો અર્થ એ થયો કે ODI સિવાય તે T20માં પણ ટીમનો કેપ્ટન નહીં હોય. તેમની કપ્તાની હેઠળ, ઇંગ્લેન્ડે આ બંને ફોર્મેટમાં 95 મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર 44 જીતી હતી, જ્યારે તે 47 હારી હતી. ચાર મેચ અનિર્ણિત રહી હતી.

વર્લ્ડકપ 2023માં ટીમ પહેલા રાઉન્ડમાં જ ખરાબ રીતે હારીને બહાર થઈ ગઈ હતી, જ્યારે ટી20 વર્લ્ડ કપ 2024માં તે સેમીફાઈનલ રમી હતી પરંતુ ત્યાં ટીમ ઈન્ડિયા દ્વારા હારીને બટલરે બંને ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આનો અર્થ એ થયો કે ODI સિવાય તે T20માં પણ ટીમનો કેપ્ટન નહીં હોય. તેમની કપ્તાની હેઠળ, ઇંગ્લેન્ડે આ બંને ફોર્મેટમાં 95 મેચ રમી હતી, જેમાંથી ટીમ માત્ર 44 જીતી હતી, જ્યારે તે 47 હારી હતી. ચાર મેચ અનિર્ણિત રહી હતી.