
કાર્યક્રમની શરૂઆત દૃશ્ય-શ્રાવ્ય નાટિકાથી કરવામાં આવી હતી, જે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનકથાનક પર આધારિત હતી. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના કલાકારોએ આ નાટિકાનું જીવંત અને ભાવનાત્મક મંચન કર્યું હતું. તેમાં સરદાર સાહેબના બાલ્યકાળના સાહસો, અપ્રમાણિક શિક્ષકનો વિરોધ, માતૃશોક હોવા છતાં કોર્ટમાં દલીલો ચાલુ રાખવી, અમદાવાદ અને બારડોલીના આંદોલનો, ટિળક અને ગાંધીજીનું મિલન તથા જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરના રજવાડાનું વિલીનીકરણ જેવી ઐતિહાસિક ઘટનાઓને જીવંત રીતે રજૂ કરવામાં આવી હતી. ગીત “ના દેંગે ધાન, ના હિ દેંગે લગાન” સાથે સમાપ્ત થયેલ આ નાટકને પ્રેક્ષકો દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ, સેનાના જવાનો તેમજ રાજ્યના વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનએ કાર્યક્રમ દરમ્યાન સરદાર સાહેબના અખંડ રાષ્ટ્રીય એકતાના સંદેશને સ્મરતા કહ્યું કે એકતાનગર માત્ર પ્રવાસન સ્થળ નહીં, પરંતુ “ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક” છે.