
ગુલકંદ ખાવામાં જેટલો સ્વાદિષ્ટ હોય છે. તેટલો જ તે ગુણોથી ભરેલો છે. ગુલકંદ ખાવાથી અઢળક લાભ થાય છે. ગુલકંદ ઉનાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે.

ઉનાળામાં ગુલકંદ ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને ખાટ્ટા ઓડકારની સમસ્યા દૂર થાય છે. આ બધી જ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગુલકંદનું સેવન કરવું જોઈએ.

ઘરે ગુલકંદ બનાવવો ખૂબ જ સરળ છે. ગુલકંદ બનાવવા માટે ગુલાબની પાંખડીઓ, ખાંડ અથવા સાકરનો પાઉડર, વરિયાળી, એલચી સહિતની વસ્તુઓની જરુર પડશે.

ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલા ગુલાબની પાંદડીઓને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. હવે ગુલાબની પાંદડીઓને કાપડ પર પાથરી તેમાંથી પાણી સુકાવવા મુકો.

ત્યારબાદ ગુલાબની પાંદડીઓમાં ખાંડનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ વરિયાળીનો ભુક્કો અને એલચીનો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તૈયાર થયેલા મિશ્રણને કાચના કન્ટેનરમાં ભરી લો. ત્યારબાદ તડકામાં 2 દિવસ રાખીને આ ગુલકંદનો ઉપયોગ કરી શકો છો. ગુલકંદને તમે પાન સાથે અથવા દિવસમાં એક ચમચી ખાઈ શકો છો.
Published On - 7:12 am, Sun, 13 April 25