
ગુલકંદ બનાવવા માટે સૌથી પહેલા ગુલાબની પાંદડીઓને સ્વચ્છ પાણીથી ધોઈ નાખો. હવે ગુલાબની પાંદડીઓને કાપડ પર પાથરી તેમાંથી પાણી સુકાવવા મુકો.

ત્યારબાદ ગુલાબની પાંદડીઓમાં ખાંડનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ વરિયાળીનો ભુક્કો અને એલચીનો ભુક્કો ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તૈયાર થયેલા મિશ્રણને કાચના કન્ટેનરમાં ભરી લો. ત્યારબાદ તડકામાં 2 દિવસ રાખીને આ ગુલકંદનો ઉપયોગ કરી શકો છો. ગુલકંદને તમે પાન સાથે અથવા દિવસમાં એક ચમચી ખાઈ શકો છો.
Published On - 7:12 am, Sun, 13 April 25