
દર્દી સમય, તારીખ અને સ્થળ વિશે મૂંઝવણમાં મુકાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તે ક્યાં છે અને ત્યાં કેવી રીતે પહોંચ્યો.

વાત કરતી વખતે યોગ્ય શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે. વાતચીત વારંવાર અટકી જાય છે અને એક જ વાત વારંવાર કરવાની ટેવ વધે છે.

વ્યક્તિનો મૂડ અચાનક બદલાવા લાગે છે. ચીડિયાપણું, ચિંતા અને આત્મવિશ્વાસનો અભાવ જેવા ફેરફારો દેખાવા લાગે છે. તે ભીડથી દૂર રહેવાનું પસંદ કરવા લાગે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (Creadit - Getty Images)