Alzheimer : ભૂલવાની ગંભીર બીમારી અલ્ઝાઇમરના શરૂઆતી લક્ષણો શું છે? જાણી લો

અલ્ઝાઇમર એક ન્યુરોલોજીકલ રોગ છે જેમાં મગજના કોષો ધીમે ધીમે નાશ પામવા લાગે છે. આનાથી યાદશક્તિ, વિચારવાની ક્ષમતા અને રોજિંદા કાર્યો કરવામાં સમસ્યા થાય છે. તે ડિમેન્શિયાનું સૌથી સામાન્ય સ્વરૂપ છે.

| Updated on: Jul 28, 2025 | 5:16 PM
1 / 6
અલ્ઝાઇમરનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મગજમાં અસામાન્ય પ્રોટીન જમા થવું, આનુવંશિક પરિબળો, વધતી ઉંમર અને ખરાબ જીવનશૈલીને લગતા પરિબળો આનું કારણ હોઈ શકે છે. ચાલો જાણીએ તેના લક્ષણો.

અલ્ઝાઇમરનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે મગજમાં અસામાન્ય પ્રોટીન જમા થવું, આનુવંશિક પરિબળો, વધતી ઉંમર અને ખરાબ જીવનશૈલીને લગતા પરિબળો આનું કારણ હોઈ શકે છે. ચાલો જાણીએ તેના લક્ષણો.

2 / 6
ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે શરૂઆતમાં, હળવી ભૂલી જવાની આદત જોવા મળે છે, જેમ કે તાજેતરની વસ્તુઓ યાદ ન રાખવી, વસ્તુઓ રાખ્યા પછી ભૂલી જવું અને તારીખો કે નામ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવવી.

ડૉ. સુભાષ ગિરી સમજાવે છે કે શરૂઆતમાં, હળવી ભૂલી જવાની આદત જોવા મળે છે, જેમ કે તાજેતરની વસ્તુઓ યાદ ન રાખવી, વસ્તુઓ રાખ્યા પછી ભૂલી જવું અને તારીખો કે નામ યાદ રાખવામાં મુશ્કેલી અનુભવવી.

3 / 6
અલ્ઝાઇમર રોગના શરૂઆતના તબક્કામાં, વ્યક્તિને આયોજન કરવામાં, નિર્ણય લેવામાં અને જટિલ કાર્યોને સમજવામાં મુશ્કેલી પડે છે. રોજિંદા નિર્ણયો લેવામાં વધુ સમય લાગે છે.

અલ્ઝાઇમર રોગના શરૂઆતના તબક્કામાં, વ્યક્તિને આયોજન કરવામાં, નિર્ણય લેવામાં અને જટિલ કાર્યોને સમજવામાં મુશ્કેલી પડે છે. રોજિંદા નિર્ણયો લેવામાં વધુ સમય લાગે છે.

4 / 6
દર્દી સમય, તારીખ અને સ્થળ વિશે મૂંઝવણમાં મુકાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તે ક્યાં છે અને ત્યાં કેવી રીતે પહોંચ્યો.

દર્દી સમય, તારીખ અને સ્થળ વિશે મૂંઝવણમાં મુકાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તે ક્યાં છે અને ત્યાં કેવી રીતે પહોંચ્યો.

5 / 6
વાત કરતી વખતે યોગ્ય શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે. વાતચીત વારંવાર અટકી જાય છે અને એક જ વાત વારંવાર કરવાની ટેવ વધે છે.

વાત કરતી વખતે યોગ્ય શબ્દો શોધવામાં મુશ્કેલી પડે છે. વાતચીત વારંવાર અટકી જાય છે અને એક જ વાત વારંવાર કરવાની ટેવ વધે છે.

6 / 6
વ્યક્તિનો મૂડ અચાનક બદલાવા લાગે છે. ચીડિયાપણું, ચિંતા અને આત્મવિશ્વાસનો અભાવ જેવા ફેરફારો દેખાવા લાગે છે. તે ભીડથી દૂર રહેવાનું પસંદ કરવા લાગે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (Creadit - Getty Images)

વ્યક્તિનો મૂડ અચાનક બદલાવા લાગે છે. ચીડિયાપણું, ચિંતા અને આત્મવિશ્વાસનો અભાવ જેવા ફેરફારો દેખાવા લાગે છે. તે ભીડથી દૂર રહેવાનું પસંદ કરવા લાગે છે.(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ બીમારી માટે પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.) (Creadit - Getty Images)