
દક્ષિણ-પૂર્વ દિશા - કહેવામાં આવે છે કે જો ઘરની દક્ષિણ-પૂર્વ દિશા તરફ ડસ્ટબિન રાખવામાં આવે તો ક્યારેય બચત થતી નથી. એટલું જ નહીં ઘરમાં રાખેલી બધી બચત અને પૈસા પણ ધીમે-ધીમે ખતમ થવા લાગે છે. પરિવારના સભ્યો પર દેવાનો બોજ વધી શકે છે અને ઘરના મેઈન સભ્યો ગરીબ થવાની સંભાવના પણ વધી જાય છે. આ ઉપરાંત ઘરને સજાવવાના દૃષ્ટિકોણથી આ સ્થાન પણ ડસ્ટબિન માટે યોગ્ય નથી.

પૂર્વ દિશા - એવું માનવામાં આવે છે કે પૂર્વ દિશાનું પ્રતિનિધિ ભગવાન સૂર્ય કરે છે. તેથી આ દિશામાં ડસ્ટબીન બિલકુલ ન રાખવું જોઈએ. જેના કારણે ઘરમાં લોકોમાં તણાવ વધવા લાગે છે. પરિવારના સભ્યો પણ એકલા રહેવાનું પસંદ કરે છે અને પછી દરેક કામમાં અડચણ આવવા લાગે છે. આ સિવાય આ જગ્યાએ ડસ્ટબીન રાખવાથી ઘરની રોનક બગડે છે.

ડસ્ટબિન આ દિશામાં રાખો - કેટલાક લોકો ઘરની બહાર ડસ્ટબિન રાખે છે પરંતુ આવું બિલકુલ ન કરવું જોઈએ. સૌથી પહેલા જ્યારે કોઈ તમારા ઘરે આવશે તો તેની નજર ડસ્ટબીન પર પડશે. આ સિવાય પરંપરા મુજબ ડસ્ટબિન ઘરની અંદર જ રાખવા જોઈએ. આ માટે ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા અને ઉત્તર-પશ્ચિમ દિશા યોગ્ય માનવામાં આવે છે. (અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)