Dev Deepawali 2024 : આજે છે દેવ દિવાળી, જાણો આ દિવસે કઈ 5 જગ્યાએ દીવા પ્રગટાવવા જોઈએ

Dev Deepawali : દેવ દીવાળીનો તહેવાર 15 નવેમ્બરે છે. આ શુભ તહેવાર કારતક મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે દેવતાઓને ત્રિપુરાસુર નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કર્યા હતા.

| Updated on: Nov 15, 2024 | 6:00 AM
4 / 6
દેવ દિવાળીના દિવસે સૌથી પહેલા તમે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. તે પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવો. આ ઉપરાંત નદી કિનારે પણ દીવા પ્રગટાવવા જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો પોતાના ગુરુ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણના ઘરે પણ દીપદાન કરવું જોઈએ. આ દિવસે પૂર્ણિમા તિથિ હોવાથી પીપળના ઝાડ નીચે દીવો કરવો પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે સાંજના સમયે ડાંગરના ખેતરમાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી.

દેવ દિવાળીના દિવસે સૌથી પહેલા તમે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. તે પછી ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંદિરમાં દીવો પ્રગટાવો. આ ઉપરાંત નદી કિનારે પણ દીવા પ્રગટાવવા જોઈએ. આ સિવાય જો શક્ય હોય તો પોતાના ગુરુ અથવા કોઈ વિદ્વાન બ્રાહ્મણના ઘરે પણ દીપદાન કરવું જોઈએ. આ દિવસે પૂર્ણિમા તિથિ હોવાથી પીપળના ઝાડ નીચે દીવો કરવો પણ શુભ માનવામાં આવે છે. તેમજ આ દિવસે સાંજના સમયે ડાંગરના ખેતરમાં દીવો પ્રગટાવવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી.

5 / 6
દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો. તેની સાથે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ દીવા પ્રગટાવો. જો તમે દીવો કરવા માટે નદી કિનારે જઈ શકતા નથી તો તમારા ઘરના રસોડામાં પાણીના સ્ત્રોત પાસે દીવો પ્રગટાવો. તેમજ આ દિવસે ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવવો અને દક્ષિણ દિશામાં ચાર મુખ વાળો તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જશે.

દેવ દિવાળીના દિવસે પ્રદોષ કાળમાં સાંજે તુલસીના છોડ પાસે દીવો કરવો. તેની સાથે ઘરના મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ દીવા પ્રગટાવો. જો તમે દીવો કરવા માટે નદી કિનારે જઈ શકતા નથી તો તમારા ઘરના રસોડામાં પાણીના સ્ત્રોત પાસે દીવો પ્રગટાવો. તેમજ આ દિવસે ઉત્તર-પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવવો અને દક્ષિણ દિશામાં ચાર મુખ વાળો તેલનો દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થઈ જશે.

6 / 6
દેવ દિવાળીના દિવસે દીવાઓનું દાન કરવાથી થાય છે લાભ : દેવ દિવાળીના દિવસે 11, 21, 51 અને 108 અંક પર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. દેવ દિવાળીના દિવસે દીપકનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નેગેટિવ એનર્જીનો પ્રભાવ હોય તો આ દિવસે દીપદાન કરવાથી તે પણ દૂર થાય છે. પદ્મ પુરાણના એક અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે, એક વખત મહાદેવે સ્વયં તેમના પુત્ર કાર્તિકેયને દીપદાનનું મહત્વ જણાવ્યું હતું.

દેવ દિવાળીના દિવસે દીવાઓનું દાન કરવાથી થાય છે લાભ : દેવ દિવાળીના દિવસે 11, 21, 51 અને 108 અંક પર દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે. દેવ દિવાળીના દિવસે દીપકનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો તમારા ઘરમાં કોઈપણ પ્રકારની નેગેટિવ એનર્જીનો પ્રભાવ હોય તો આ દિવસે દીપદાન કરવાથી તે પણ દૂર થાય છે. પદ્મ પુરાણના એક અધ્યાયમાં જણાવવામાં આવ્યું છે કે, એક વખત મહાદેવે સ્વયં તેમના પુત્ર કાર્તિકેયને દીપદાનનું મહત્વ જણાવ્યું હતું.

Published On - 6:00 am, Fri, 15 November 24