
તેઓ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી હતા. સિસોદિયાને 38,184 મત મળ્યા, જ્યારે તરવિંદરને 38,859 મત મળ્યા છે.

સિસોદિયાએ પોતાની હાર સ્વીકારી અને ભાજપના ઉમેદવારને તેમની જીત બદલ અભિનંદન આપ્યા. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં એટલે કે 2020 માં, સિસોદિયાએ પટપડગંજથી ચૂંટણી લડી હતી. પરંતુ આ વખતે બેઠક બદલ્યા પછી પણ તેઓ જીતી શક્યા નહીં.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર અંગે મનીષ સિસોદિયાએ કહ્યું કે અમે બધા કાર્યકરોએ સાથે મળીને જંગપુરા વિધાનસભા ચૂંટણી લડી હતી. અમે 600 મતોથી પાછળ રહી ગયા. હું જીતેલા ઉમેદવારોને અભિનંદન આપું છું.
Published On - 12:46 pm, Sat, 8 February 25