
રાત્રે પાણી ન ભરવાનું મુખ્ય કારણ એ જ હતું કે પહેલાના સમયમાં લાઈટ પણ નહોતી અને પાણી ભરતી વખતે જો અંધારા કોઈ નાના જંતુઓ અંદર ચાલ્યા જાય તો કંઈ ખબર ના રહેતી. આના લીધે બિમાર પડવાનો ભય રહેતો હતો. એટલા માટે દાદીમા રાત્રે માટલું ભરવાની ના પાડે છે.

જો કોઈ કારણસર તમારે માટલું ભરવાનું થાય છે તો સવારે વહેલા ઉઠો ત્યારે તે માટલાને યોગ્ય રીતે સાફ કરવું જોઈએ. જેથી કરીને તેની ફરતે જે શેવાળ જેવો ચીકણો પદાર્થ જામતો હોય તે અટકી શકે.

ટાઇફોઇડનો ભય: દૂષિત પાણી પીવાથી ટાઇફોઇડ જેવા રોગો થઈ શકે છે. ઘણા ઘરોમાં રાત્રે માટલામાં પાણી ખુલ્લું રાખવામાં આવે છે, કારણ કે તે ઠંડુ થઈ શકે. જો આણ કરવું હોય તો તેને યોગ્ય સુતરાઉ કાપડ વડે ઢાંકવું જોઈએ. દૂષિત પાણી પીવાથી પાચન સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી રાત્રે વાસણમાં પાણી ન રાખવાની સલાહ આપવામાં આવે છે.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)