
વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ: જો આપણે આ પરંપરાને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો જૂના સમયમાં તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો. તાંબુ એક મહત્વપૂર્ણ ધાતુ છે, જે પાણીને શુદ્ધ કરવામાં મદદ કરે છે. જ્યારે લોકો વહેતી નદીમાં તાંબાના સિક્કા ફેંકતા હતા, ત્યારે તે ધીમે-ધીમે ઓગળી જતા હતા અને પાણીમાં ભળી જતા હતા, જેના કારણે પાણીના સ્વાસ્થ્ય લાભો અકબંધ રહ્યા હતા. આ એક રીતે કુદરતી જળ શુદ્ધિકરણ પ્રક્રિયા હતી.

અત્યારના સમયમાં જો તમે નદીમાં સિક્કા નાખો છો તો તે એક માન્યતાના આધારે છે. કેમ કે અત્યારે કોઈ સિક્કા તાંબાના નથી બનતા. તેના બદલે તમે તે પૈસાનું અનાજ લઈને માછલીઓ માટે નાખી શકો છો. તો આજના જમાના પ્રમાણે નદીમાં સિક્કો નાખવાથી કોઈ વૈજ્ઞાનિક કારણ પુરુ થતું નથી.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Whisk AI)