
સ્વચ્છતા અને શિસ્તનું પ્રતીક: ભારતીય પરંપરામાં સ્વચ્છતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં સ્વચ્છતા હોય છે, ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જ્યારે, જ્યાં ગંદકી હોય છે, ત્યાં દેવી અલક્ષ્મીનો વાસ હોય છે, જે ગરીબી અને નેગેટિવ એનર્જી લાવે છે. કરોળિયાનું જાળું એ સંકેત છે કે ઘર લાંબા સમયથી સાફ કરવામાં આવ્યું નથી અથવા લોકો ઘરની સંભાળ રાખવામાં બેદરકાર છે. આવા વાતાવરણમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ ઓછો થાય છે, જે જીવનમાં અવરોધો પેદા કરી શકે છે.

નેગેટિવ એનર્જી : જે ઘરમાં ખૂણામાં જાળા હોય છે, ધૂળ જમા થઈ ગઈ હોય છે, પરિવારના સભ્યોમાં ઉદાસી, આળસ અને ભારેપણું ઉત્પન્ન થઈ શકે છે. જાળા પોઝિટિવ એનર્જીને શોષી લે છે, જેના કારણે ઘરમાં શાંતિ, સુખ અને આનંદનો અભાવ રહે છે. આ ઉપરાંત આ જાળામાં ધૂળ અને જંતુઓ એકઠા થાય છે જે શ્વસન રોગોનું કારણ બની શકે છે.

આર્થિક સ્થિતિનો સંકેત: એવું માનવામાં આવે છે કે કરોળિયાના જાળા પૈસાના પ્રવાહને રોકી શકે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરી શકે છે. વાસ્તવમાં ઘરમાં ફેલાયેલી ગંદકીને કારણે દેવી લક્ષ્મી ગુસ્સે થાય છે, જેના કારણે અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ સ્થળોએ કરોળિયાના જાળા ન હોવા જોઈએ: પુરાણો અને વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ છે કે ઘરના ખૂણા ગંદા ન હોવા જોઈએ. ખાસ કરીને જો પૂજા ઘર, રસોડા અને મુખ્ય દરવાજા પાસે કરોળિયાનું જાળું હોય તો તેને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દેવી-દેવતાઓના આશીર્વાદમાં અવરોધ ઉભો કરે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધારી શકે છે.

શું કરવું?: અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર ઘર સાફ કરો. રુમના ખૂણા, છતની નજીક અને ખાસ કરીને ઓછા ઉપયોગમાં લેવાતા સ્થળો સાફ કરો. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં નિયમિતપણે ધૂપ કે ગુગળ કરો. જો કરોળિયા વારંવાર ઘરમાં જાળા બનાવતા હોય, તો તે સ્થાનનો વાસ્તુ દોષ તપાસો.

(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)