
ખોરાક સંબંધિત વાસ્તુ ટિપ્સ: રાત્રે જમ્યા પછી તરત જ ગંદા વાસણો સાફ કરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે રસોડું ગંદુ રાખવાથી માતા અન્નપૂર્ણા ગુસ્સે થઈ શકે છે. વ્યક્તિએ હંમેશા જમીન પર બેસીને આરામથી ખોરાક લેવો જોઈએ. આ ઉપરાંત તમે ડાઇનિંગ ટેબલ પર બેસીને પણ ખોરાક ખાઈ શકો છો. જમતી વખતે હંમેશા ઉત્તર કે પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ.

લોજીક કારણ જોઈએ તો એ છે કે બેડ પર જમવાથી ત્યા કચરો થાય છે. તે આપણા હેલ્થ માટે સારો નથી. બેડ પર જમવાથી ત્યા ખોરાક પણ ઢોળાવાની શક્યતા છે. તેના લીધે ત્યા કીડી કે અન્ય જંતુઓ પણ થઈ શકે છે. આથી મોટા વડીલો ના પાડતા હતા કે બેડ કે પથારીમાં બેસીને જમવાથી રોગ થાય છે. (Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)(All Image Symbolic)