
સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ હેઠળ, RCB એ ગયા સિઝન (2024) માં પહેલીવાર WPL ટાઇટલ જીત્યું હતું. રાધા યાદવના આગમનથી ટીમના સ્પિન વિભાગને વધુ મજબૂતી મળી છે. બંને ખેલાડીઓ ભારતીય ટીમમાં પણ સાથે રમે છે, અને તેમની વચ્ચે ખાસ મિત્રતા છે. રાધા યાદવ 2025 ના વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનો પણ ભાગ હતી.

રાધા યાદવે અત્યાર સુધીમાં મહિલા પ્રીમિયર લીગમાં 20 મેચ રમી છે, જેમાં 14 વિકેટ લીધી છે અને 74 રન બનાવ્યા છે. તે એક શાનદાર ફિલ્ડર પણ છે અને ટીમ ઈન્ડિયા માટે 14 ODI અને 89 T20I પણ રમી છે. (PC: PTI)