
તો આનું મોટું કારણ વનડેમાં તેનો રેકોર્ડ છે.એવું માનવામાં આવી રહ્યું છે કે, વિરાટ કોહલી આગામી 2 વર્ષ સુધી વનડે ક્રિકેટ રમતો જોવા મળી શકે છે. કારણ કે, 2027માં વનડે વર્લ્ડકપ રમાશે અને આ ટૂર્નામેન્ટ સાઉથ આફ્રિકામાં રમાશે.

સાઉથ આફ્રિકામાં વ્હાઈટ બોલ ફોર્મેટમાં વિરાટનો રેકોર્ડ સારો રહ્યો છે. વિરાટ ઈચ્છશે કે, ટી20ની જેમ વનડે ફોર્મેટમાં પણ તે વર્લ્ડકપ જીતી સંન્યાસ લે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ જીતતી નથી તો જે દિવસે નોક આઉટ હશે તે દિવસે વિરાટના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લો દિવસ હોય શકે છે.

વિરાટ કોહલી હાલમાં 36 વર્ષનો છે અને 2027માં 38 વર્ષનો થશે. તેની ફિટનેસ શાનદાર છે. ત્યારે આગામી 2 વર્ષ સુધી વનડે ક્રિકેટ રમવું મુશ્કિલ હશે નહી.

તે ટેસ્ટ ક્રિકેટ પણ રમી શકતો હતો પછી અચાનક તેમણે આ ફોર્મેટ છોડ્યું. ચાહકો આશા રાખશે કે,વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં આવો નિર્ણય ના લે કારણ કે, આનાથી ભારતીય ક્રિકેટને મોટું નુકસાન થશે.