
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20I સીરિઝની ચોથી મેચ પુણેમાં રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T-20 મેચ સાંજે 7 વાગ્યાથી રમાશે. ટોસ 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ચોથી મેચ 31 જાન્યુઆરીના રોજ રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સ્ટેડિયમમાં રમાશે.

હવે સવાલ એ ઉઠે છે કે, શું કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથી મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં કાંઈ ફેરફાર કરશે કે પછી આ ટીમ સાથે સીરિઝ જીતવા મેદાનમાં ઉતરશે.