
ODI વર્લ્ડ કપ 2027 4 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે. ટુર્નામેન્ટ માટે કુલ 12 મેદાનો પસંદ કરવામાં આવ્યા છે.

આ 12 મેદાનોમાંથી વિરાટ કોહલી આઠ સ્થળે રમી ચૂક્યો છે, જ્યારે ચાર મેદાન પર તેણે હજુ સુધી એક પણ મેચ રમી નથી. આ કારણે આગામી વર્લ્ડ કપમાં તેનો અનુભવ ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક બની શકે છે.

વર્લ્ડ કપના મેદાનો પર કોહલીએ અત્યાર સુધી 25 ઇનિંગમાં 71.47ની સરેરાશથી 1,358 રન બનાવ્યા છે. તેના નામે ચાર સદી અને નવ અડધી સદી છે. આ દરમિયાન તે પાંચ વખત પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો છે.

કોહલીનો કેપટાઉનમાં સર્વોચ્ચ સ્કોર 160 રન છે. સેન્ચુરિયનમાં તેણે 129, ડરબનમાં 112, હરારેમાં 115 અને ગેબરખામાં 87 રન બનાવ્યા છે. જોહાનિસબર્ગમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 75 અને પાર્લમાં 51 રન છે.

બફેલો પાર્ક, બ્લૂમફોન્ટેન, વિક્ટોરિયા ફોલ્સ અને નામિબિયાના વિન્ડહોકમાં કોહલી હજુ રમ્યો નથી. જોકે, આ આંકડા દર્શાવે છે કે 2027 વર્લ્ડ કપમાં આફ્રિકાની ધરતી પર કોહલી ટીમ ઈન્ડિયાનો મહત્વનો ખેલાડી બની શકે છે. (PC:PTI/X)