
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતે 2007 T20 વર્લ્ડ કપ, 2011 ODI વિશ્વ કપ, 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. આ સિવાય ધોનીએ તેની કારકિર્દીમાં 350 ODI, 90 ટેસ્ટ અને 98 T20 મેચો રમી છે અને કુલ 17 હજારથી વધુ રન બનાવ્યા છે. તે ભારતનો સૌથી સફળ વિકેટ કીપર અને કેપ્ટન છે. છતાં ધોનીને અર્જુન એવોર્ડ નથી મળ્યો.

ધોનીને અર્જુન એવોર્ડ ન મળવા પાછળ એક વિશેષ કારણ જવાબદાર છે. ધોનીને અર્જુન એવોર્ડ પહેલા રમત જગતનો ભારત સરકારનો સૌથી સન્માનિત 'રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ' (મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર) મળ્યો હતો. જેથી ધોનીને અર્જુન એવોર્ડ ના મળ્યો.

2007માં ભારતે પહેલો T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વર્ષ 2008માં જ ધોનીને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ મળી ગયો હતો. આ એવોર્ડ સર્વોચ્ચ ખેલ પુરસ્કાર છે, જે ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ધોનીને આ એવોર્ડ બહુ જ જલ્દી મળી ગયો હતો, એવામાં આ એવોર્ડથી નીચેનો એવોર્ડ ધોનીને આપવાનો કોઈ સવાલ ન હતો. એટલા માટે જ મહેન્દ્ર સિંહ ધોનીને ક્યારેય અર્જુન એવોર્ડ મળ્યો નથી