Lok Sabha Election Results 2024 : લોકસભાની ચૂંટણી જીતી ચૂક્યા છે આ ક્રિકેટરો, એક તો જીતી ચૂક્યો છે વર્લ્ડ કપ

|

Jun 04, 2024 | 12:15 PM

ભારતમાં હાલમાં એક જ વાતની ચર્ચા થઈ રહી છે અને તે છે લોકસભાના પરિણામની કે કોણ જીતશે. તેમજ કોની સરકાર બનશે. આ વખતે બોલિવુડ સ્ટારની સાથે ક્રિકેટરો પણ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને બસ હવે નજર છે તો આજના પરિણામ પર,

1 / 7
તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કેટલાક બોલિવુડ સ્ટાર તેમજ ક્રિકેટરો ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુક્યા છે. આ પહેલી વખત નથી કે કોઈ ક્રિકેટર લોકસભાની ચૂંટણી લડી રહ્યો હોય. તો ચાલો જોઈએ આ પહેલા ક્યા ક્યા ક્રિકેટર ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુક્યા છે.

તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કેટલાક બોલિવુડ સ્ટાર તેમજ ક્રિકેટરો ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુક્યા છે. આ પહેલી વખત નથી કે કોઈ ક્રિકેટર લોકસભાની ચૂંટણી લડી રહ્યો હોય. તો ચાલો જોઈએ આ પહેલા ક્યા ક્યા ક્રિકેટર ચૂંટણીના મેદાનમાં ઉતરી ચુક્યા છે.

2 / 7
ગૌતમ ગંભીર ભારતના એ ક્રિકેટરોમાંથી આવે છે. જે વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતો. તેમજ લોકસભાની ચૂંટણી પણ જીતી છે. ગૌતમ ગંભીરે 2019માં ભાજપની ટિકિટ પરથી પૂર્વી દિલ્હીથી ચૂંટણી જીતી હતી. લોકસભા 2024 પહેલા તે રાજકારણથી દુર થયા છે. ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં ટોપ સ્કોરર હતો.

ગૌતમ ગંભીર ભારતના એ ક્રિકેટરોમાંથી આવે છે. જે વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ હતો. તેમજ લોકસભાની ચૂંટણી પણ જીતી છે. ગૌતમ ગંભીરે 2019માં ભાજપની ટિકિટ પરથી પૂર્વી દિલ્હીથી ચૂંટણી જીતી હતી. લોકસભા 2024 પહેલા તે રાજકારણથી દુર થયા છે. ગૌતમ ગંભીર ટી20 વર્લ્ડકપ 2007 અને વનડે વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં ટોપ સ્કોરર હતો.

3 / 7
ઓલરાઉન્ડર યુસુફ પઠાણ લોકસભા ચૂંટણીમાં 2024માં જીત મેળવશે તો તે ગંભીર , સિદ્ધુ સહિતએ 5 ક્રિકેટરોના કલબમાં એન્ટ્રી કરશે. જે જનતાના મતથી સાંસદ બન્યો હોય. યુસુફ પઠાણને ટીએમસીએ બહરમપુર સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે.

ઓલરાઉન્ડર યુસુફ પઠાણ લોકસભા ચૂંટણીમાં 2024માં જીત મેળવશે તો તે ગંભીર , સિદ્ધુ સહિતએ 5 ક્રિકેટરોના કલબમાં એન્ટ્રી કરશે. જે જનતાના મતથી સાંસદ બન્યો હોય. યુસુફ પઠાણને ટીએમસીએ બહરમપુર સીટથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો છે.

4 / 7
ભારત માટે 187 મેચ રમનાર નવજોત સિંહ સિદ્ધુએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમણે 2004માં ભાજપમાં એન્ટ્રી કરી હતી, સિક્સર કિંગથી પોપ્યુલર સિદ્ધુ 2004,2007 પેટાચૂંટણી તેમજ 2009ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સાંસદ બન્યા હતા. વર્ષ 2018માં તે રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા. તે જ વર્ષે તેઓ રાજ્યસભાનું સભ્યપદ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

ભારત માટે 187 મેચ રમનાર નવજોત સિંહ સિદ્ધુએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધા બાદ રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમણે 2004માં ભાજપમાં એન્ટ્રી કરી હતી, સિક્સર કિંગથી પોપ્યુલર સિદ્ધુ 2004,2007 પેટાચૂંટણી તેમજ 2009ની લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સાંસદ બન્યા હતા. વર્ષ 2018માં તે રાજ્યસભાના સભ્ય પણ બન્યા હતા. તે જ વર્ષે તેઓ રાજ્યસભાનું સભ્યપદ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.

5 / 7
ભારતીય ક્રિકેટ ટીમના 3 વર્લ્ડકપમાં કેપ્ટનશીપ કરનાર મોહમ્મદ અઝહરુદ્દીને રાજનીતિમાં કિસ્મત અજમાવી હતી. તેમણે લોકસભા ચૂંટણી 2009માં મુરાદાબાદથી કોંગ્રેસ ઉમેદવારના રુપમાં જીત મેળવી હતી. વર્ષ 2014માં થયેલા લોકસભા ચૂંટણીમાં અઝહર ટોંકથી લડ્યો અને હાર મળી હતી. દેશના સૌથી સ્ટાઈલિશ ક્રિકેટરમાં અઝહરનું નામ આવતું હતુ. તેા નામે પહેલી 3 ટેસ્ટ મેચમાં સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે.

ભારતીય ક્રિકેટ ટીમના 3 વર્લ્ડકપમાં કેપ્ટનશીપ કરનાર મોહમ્મદ અઝહરુદ્દીને રાજનીતિમાં કિસ્મત અજમાવી હતી. તેમણે લોકસભા ચૂંટણી 2009માં મુરાદાબાદથી કોંગ્રેસ ઉમેદવારના રુપમાં જીત મેળવી હતી. વર્ષ 2014માં થયેલા લોકસભા ચૂંટણીમાં અઝહર ટોંકથી લડ્યો અને હાર મળી હતી. દેશના સૌથી સ્ટાઈલિશ ક્રિકેટરમાં અઝહરનું નામ આવતું હતુ. તેા નામે પહેલી 3 ટેસ્ટ મેચમાં સદી ફટકારવાનો પણ રેકોર્ડ છે.

6 / 7
વર્લ્ડકપ 1983માં કપિલ દેવની ટીમનો મહત્વનો ભાગ રહેલા કીર્તિ આઝાદ ક્રિકેટ બાદ ચૂંટણીની પીચ પર ઉતર્યો હતો. કીર્તિ આઝાદ 1999માં દરભંગાથી ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસમાં સામેલ થયો હતો. લોકસભા ચૂંટણી 2019માં તેને હાર મળી હતી. ત્યારબાદ તે તૃણમૃલ કોંગ્રેસમાં સામેલ થયો હતો. કીર્તિ આઝાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભગવત ઝા આઝાદનો દિકરો છે.

વર્લ્ડકપ 1983માં કપિલ દેવની ટીમનો મહત્વનો ભાગ રહેલા કીર્તિ આઝાદ ક્રિકેટ બાદ ચૂંટણીની પીચ પર ઉતર્યો હતો. કીર્તિ આઝાદ 1999માં દરભંગાથી ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. ત્યારબાદ તે કોંગ્રેસમાં સામેલ થયો હતો. લોકસભા ચૂંટણી 2019માં તેને હાર મળી હતી. ત્યારબાદ તે તૃણમૃલ કોંગ્રેસમાં સામેલ થયો હતો. કીર્તિ આઝાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી ભગવત ઝા આઝાદનો દિકરો છે.

7 / 7
સુનીલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર રહી ચૂકેલ ચેતન ચૌહાણ 2 વખત સાંસદ રહી ચુક્યો છે. તે અમરોહથી ભાજપની ટિકિટ પર 1991 અને 1998માં ચૂંટણી જીતી હતી. ત્યારબાજ તે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેતન ચૌહાણનું વર્ષ 2020માં કોરનાને કારણે નિધન થયું છે.

સુનીલ ગાવસ્કરના ઓપનિંગ પાર્ટનર રહી ચૂકેલ ચેતન ચૌહાણ 2 વખત સાંસદ રહી ચુક્યો છે. તે અમરોહથી ભાજપની ટિકિટ પર 1991 અને 1998માં ચૂંટણી જીતી હતી. ત્યારબાજ તે ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ચેતન ચૌહાણનું વર્ષ 2020માં કોરનાને કારણે નિધન થયું છે.

Next Photo Gallery