T20 World Cup 2024 :T20 વર્લ્ડ કપ વચ્ચે ટીમ ઈન્ડિયાના આ બે સ્ટાર ખેલાડી ભારત પરત ફરશે, જાણો કારણ

|

Jun 14, 2024 | 11:57 AM

T20 વર્લ્ડ કપ 2024 વચ્ચે ટીમ ઈન્ડિયાના કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટૂર્નામેન્ટ દરમિયાન ટીમ ઈન્ડિયાના બે ખેલાડી ભારત પરત ફરી શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ પણ સામે આવ્યું છે.

1 / 5
 ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની સફર અત્યારસુધી શાનદાર રહી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતી સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 15 જૂનના રોજ ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલમાં કેનેડા વિરુદ્ધ રમશે.

ટી20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાની સફર અત્યારસુધી શાનદાર રહી છે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં સતત 3 મેચ જીતી સુપર-8માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. હવે પોતાની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ 15 જૂનના રોજ ફ્લોરિડાના ફોર્ટ લોડરડેલમાં કેનેડા વિરુદ્ધ રમશે.

2 / 5
આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી આ ટૂર્નામેન્ટ વચ્ચે ભારત પરત ફરી શકે છે.

આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે ટીમ ઈન્ડિયાના 2 ખેલાડી આ ટૂર્નામેન્ટ વચ્ચે ભારત પરત ફરી શકે છે.

3 / 5
ભારતીય સિલેક્ટર્સે ટી20 વર્લ્ડકપ 2024 માટેની 15 સભ્યોની ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓને પણ મોકલ્યા હતા. આ 4 ખેલાડીમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ શુભમન ગિલ અને આવેશ ખાન મેચ બાદ ભારત પરત ફરી શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયા સાથે જ છે અને તેઓ ફોર્ટ લોડરડેલ, ફલોરિડા પહોંચી ગયા છે.

ભારતીય સિલેક્ટર્સે ટી20 વર્લ્ડકપ 2024 માટેની 15 સભ્યોની ટીમ સાથે 4 રિઝર્વ ખેલાડીઓને પણ મોકલ્યા હતા. આ 4 ખેલાડીમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહમદ અને આવેશ ખાન છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ શુભમન ગિલ અને આવેશ ખાન મેચ બાદ ભારત પરત ફરી શકે છે. હાલમાં ટીમ ઈન્ડિયા સાથે જ છે અને તેઓ ફોર્ટ લોડરડેલ, ફલોરિડા પહોંચી ગયા છે.

4 / 5
રિપોર્ટ મુજબ ગિલ અને આવેશ ખાનના વીઝા માત્ર યુએસએ પ્રવાસ માટે જ હતા. ત્યારે 15 જૂનના રોજ રમાનારી મેચ સુધી જો ટીમમાંથી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો આ બંન્ને ખેલાડી સ્વદેશ પરત ફરી શકે છે. આ બંન્ને ખેલાડી સુપર-8 માટે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે નહિ.

રિપોર્ટ મુજબ ગિલ અને આવેશ ખાનના વીઝા માત્ર યુએસએ પ્રવાસ માટે જ હતા. ત્યારે 15 જૂનના રોજ રમાનારી મેચ સુધી જો ટીમમાંથી કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો આ બંન્ને ખેલાડી સ્વદેશ પરત ફરી શકે છે. આ બંન્ને ખેલાડી સુપર-8 માટે વેસ્ટઈન્ડિઝનો પ્રવાસ કરશે નહિ.

5 / 5
ટૂર્નામેન્ટમાં જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેના સ્થાન પર રિઝર્વ ખેલાડીના લિસ્ટમાંથી કોઈને તક આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી 14 જૂન સુધી ઈજાગ્રસ્ત થયો નથી. એટલા માટે ગિલ અને આવેશ ખાન ભારત પરત ફરી શકે છે.

ટૂર્નામેન્ટમાં જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય છે તો તેના સ્થાન પર રિઝર્વ ખેલાડીના લિસ્ટમાંથી કોઈને તક આપવામાં આવે છે. પરંતુ હજુ સુધી ભારતીય ટીમનો કોઈ ખેલાડી 14 જૂન સુધી ઈજાગ્રસ્ત થયો નથી. એટલા માટે ગિલ અને આવેશ ખાન ભારત પરત ફરી શકે છે.

Next Photo Gallery