
12.3 ઓવરમાં ભારતીય ટીમ માત્ર 58 રન જ બનાવી શકી હતી અને સૂર્યકુમાર યાદવ 22 રન બનાવી ક્રિઝ પર હતો. સૂર્યકુમારે 13મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારવા માંગતો હતો પરંતુ નેત્રવલકરના હાથમાં કેચ આવતા આવતા રહી ગયો હતો. આ કેચ છુટી ગયો અને સૂ્ર્ય કુમારની અડધી સદી પુરી થઈ હતી.

સૂર્યકુમાર યાદવના છુટેલા કેચથી અમેરિકાનો બોલર સૌરભ નેત્રવલકર દુખી છે. તેમણે કહ્યું જો સૂર્યાનો કેચ પકડી લીધો હોત તો ભારતીય ટીમ પર દબાવ બનાવાનો મોકો હતો.

એક સમયે ટીમ ઈન્ડિયા માટે રમવાનું સપનું જોનાર સૌરભ નેત્રાવલકર અમેરિકન ક્રિકેટ ટીમ માટે સ્ટાર બનીને ઉભરી આવ્યો છે. તે અંડર-19માં ભારત તરફથી રમી ચૂક્યો છે અને હવે T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી રહ્યો છે.