IND vs ENG Semifinal: જો વરસાદ આવશે તો ભારત ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં એન્ટ્રી કરશે ! જાણો શું છે આઈસીસીનો નિયમ

ટી20 ક્રિકેટમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે બીજી સેમીફાઈનલ મેચ રમાશે. ટી 20 વર્લ્ડકપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ અને ભારત 4 વખત આમને-સામને થયા હતા. બંન્ને ટીમોએ 2-2 મેચ જીતી છે

| Updated on: Jun 27, 2024 | 1:08 PM
1 / 6
ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 27 જૂનના રોજ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે

ટી20 વર્લ્ડકપ 2024ની બીજી સેમીફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. આ મેચ 27 જૂનના રોજ ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે

2 / 6
નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો કરતી જોવા મળશે. અમ્પાયર્સને મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવી પડશે તો ફાયદો ભારતીય ટીમને થશે અને રમ્યા વગર ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે.

નોકઆઉટ મેચમાં ભારતીય ટીમ ફરી એકવાર રોહિત શર્માના નેતૃત્વમાં જોસ બટલરની સેનાનો સામનો કરતી જોવા મળશે. અમ્પાયર્સને મેચ રદ્દ કરવાનો નિર્ણય લેવી પડશે તો ફાયદો ભારતીય ટીમને થશે અને રમ્યા વગર ફાઈનલમાં એન્ટ્રી કરી લેશે.

3 / 6
ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવવા તૈયાર છે. બંન્ને ટીમ સેમીફાઈનલમાં ફરી એક વખત આમને-સામને થશે. સેમીફાઈનલમાં બીજી મેચ ભારતીય સમયઅનુસાર ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતની નજર ઈંગ્લેન્ડન સામે હારનો બદલો લેવા પર છે.

ભારતીય ટીમ સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાવવા તૈયાર છે. બંન્ને ટીમ સેમીફાઈનલમાં ફરી એક વખત આમને-સામને થશે. સેમીફાઈનલમાં બીજી મેચ ભારતીય સમયઅનુસાર ગયાનાના પ્રોવિડેન્સ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ભારતની નજર ઈંગ્લેન્ડન સામે હારનો બદલો લેવા પર છે.

4 / 6
ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે. તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રેવશ કરશે.

ભારત અને ઈંગ્લેન્ડ મેચ પર વરસાદનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. હવામાનના રિપોર્ટ મુજબ ગયાનામાં સવારે 70 ટકા વરસાદ થવાની સંભાવના છે. તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. આ મેચની વિજેતા ટીમ ફાઈનલમાં પ્રેવશ કરશે.

5 / 6
આજે બીજી સેમીફાઈનલમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. કહી શકાય કે, આ મેચ વરસાદની ઝપેટમાં આવી શકે છે.જો વરસાદના કારણે ટી20 વર્લ્ડકપ 2024ની ભારત અને ઈંગ્લેન્ડની મેચ ધોવાય જાય તો કઈ ટીમને ફાયદો થશે.

આજે બીજી સેમીફાઈનલમાં વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. કહી શકાય કે, આ મેચ વરસાદની ઝપેટમાં આવી શકે છે.જો વરસાદના કારણે ટી20 વર્લ્ડકપ 2024ની ભારત અને ઈંગ્લેન્ડની મેચ ધોવાય જાય તો કઈ ટીમને ફાયદો થશે.

6 / 6
ભારતે ગ્રુપ સ્ટેજ અને સુપર-8માં તમામ મેચ જીતી લીધી છે. સુપર-8માં ભારતે પોતાની 3 મેચ જીતી લીધી છે. તેના ખાતામાં 6 અંક છે, જ્યારે ઈંગ્લેન્ડના ખાતામાં 4 અંક છે. જેને લઈ ભારત ફાઈનલમાં સરળતાથી ક્વોલિફાય કરી લેશે.

ભારતે ગ્રુપ સ્ટેજ અને સુપર-8માં તમામ મેચ જીતી લીધી છે. સુપર-8માં ભારતે પોતાની 3 મેચ જીતી લીધી છે. તેના ખાતામાં 6 અંક છે, જ્યારે ઈંગ્લેન્ડના ખાતામાં 4 અંક છે. જેને લઈ ભારત ફાઈનલમાં સરળતાથી ક્વોલિફાય કરી લેશે.