
IPLની હરાજીમાં બધાની નજર સનરાઇઝર્સ હૈદરાબાદના ટેબલ પર છે. તેનું કારણ એ છે કે તે ટીમની માલિક કાવ્યા મારન ખેલાડીઓ ખરીદવામાં ખૂબ જ સક્રિય છે. આવું જ કંઈક જેદ્દાહમાં પણ જોવા મળ્યું હતું. અપેક્ષા મુજબ કાવ્યા મારન ડેશિંગ પ્લેયરને ખરીદવામાં સફળ રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે આ ડીલ તેની તાકાત વધારવા જઈ રહી છે.

આઈપીએલ 2025ની હરાજીમાં ખેલાડીઓ ખરીદતા પહેલા કાવ્યાએ 5 મોટા ક્રિકેટ સ્ટાર્સને પોતાની સાથે જોડી દીધા છે એટલે કે તેમને જાળવી રાખ્યા છે.

કાવ્યા દ્વારા જાળવી રાખવામાં આવેલા ખેલાડીઓના નામમાં હેનરિક ક્લાસેન, પેટ કમિન્સ, અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડીનો સમાવેશ થાય છે. આ 5 ખેલાડીઓને રિટેન કરવા માટે સનરાઇઝર્સે 75 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. એટલે કે SRH માત્ર 45 કરોડ રૂપિયા સાથે હરાજીમાં ઉતરી છે.

આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદની સફરની વાત કરીએ તો આ ટીમ અત્યાર સુધીમાં બે વખત આઈપીએલ ટાઈટલ જીતી ચૂકી છે.

આ ટીમે 2016માં તેનું પ્રથમ ટાઈટલ જીત્યું હતું. ગત સિઝનમાં પણ પેટ કમિન્સની કપ્તાનીમાં આ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. પરંતુ તેઓ ટાઈટલ જીતી શક્યા ન હતા.
Published On - 5:11 pm, Sun, 24 November 24