Breaking News : BCCI એ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીને આપી લીલી ઝંડી, ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમમાં કર્યો સામેલ

IND vs NZ ODI Series : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 11 જાન્યુઆરીથી ત્રણ મેચની ODI શ્રેણી શરૂ થવાની છે. આ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટી રાહત મળી છે. BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) દ્વારા ભારતીય ટીમના એક મહત્વના ખેલાડીને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

| Updated on: Jan 07, 2026 | 9:16 PM
4 / 5
મુંબઈની કેપ્ટનશીપ કરતા શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે નંબર 4 પર બેટિંગ કરતા 53 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ્સ બાદ મેડિકલ ટીમ સંતોષમાં આવી અને તેમને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ફિટ જાહેર કરવામાં આવ્યા.

મુંબઈની કેપ્ટનશીપ કરતા શ્રેયસ ઐયરે વિજય હજારે ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે નંબર 4 પર બેટિંગ કરતા 53 બોલમાં 82 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. તેમની આ ઇનિંગ્સ બાદ મેડિકલ ટીમ સંતોષમાં આવી અને તેમને ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ફિટ જાહેર કરવામાં આવ્યા.

5 / 5
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જોકે, શ્રેયસ ઐયરની વાપસીથી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે. ઐયરની ગેરહાજરી દરમિયાન નંબર 4 પર રમતા રુતુરાજ ગાયકવાડે સારું પ્રદર્શન કર્યું હતું અને પોતાની પહેલી ODI સદી પણ ફટકારી હતી. હવે શ્રેયસની ઉપલબ્ધતા બાદ રુતુરાજને બહાર બેસવું પડી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. જોકે, શ્રેયસ ઐયરની વાપસીથી પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર થવાની શક્યતા છે. ઐયરની ગેરહાજરી દરમિયાન નંબર 4 પર રમતા રુતુરાજ ગાયકવાડે સારું પ્રદર્શન કર્યું હતું અને પોતાની પહેલી ODI સદી પણ ફટકારી હતી. હવે શ્રેયસની ઉપલબ્ધતા બાદ રુતુરાજને બહાર બેસવું પડી શકે છે.