
પરંતુ છેલ્લી બે મેચમાં રોહિત શર્માનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. તે 3 ઈનિંગ્સમાં 6.33ની એવરેજથી માત્ર 19 રન જ બનાવી શક્યો છે. હવે મેલબોર્નની પિચ બેટિંગ માટે થોડી સરળ બની શકે છે. આવી સ્થિતિમાં રોહિતે ફરી પોતાના મૂળ સ્થાને પરત ફરવાનો નિર્ણય લીધો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઈનિંગની શરૂઆત કરતો જોવા મળી શકે છે. રિપોર્ટ અનુસાર નવા બોલ બાદ પિચ પર રન બનાવવાનું સરળ બની જશે. જો તે શરુઆતમાં થોડો સમય ટકી રહેવામાં સફળ રહે તો તે ફોર્મમાં પરત આવી શકે છે.

જ્યારે રોહિતની જગ્યાએ ઓપનિંગ કરી રહેલા રાહુલને શુભમન ગિલની જગ્યાએ ત્રીજા નંબર પર મોકલી શકાય છે. જોકે, ઓપનિંગ કરતી વખતે રાહુલે અત્યાર સુધીની શ્રેણીમાં ખૂબ જ સારી બેટિંગ કરી છે. તેણે 47ની એવરેજથી 235 રન બનાવ્યા છે, જેમાં 2 અડધી સદી સામેલ છે.

મેલબોર્નના મેદાન પર સ્પિનરોને ઘણી મદદ મળે છે. ચોથા અને પાંચમા દિવસે તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પિચ તૂટ્યા પછી સ્પિનરો બેટ્સમેન પર પ્રભુત્વ મેળવે છે. રિપોર્ટ અનુસાર, આને ધ્યાનમાં રાખીને કેપ્ટન રોહિત શર્મા બે સ્પિનરોને મેદાનમાં ઉતારી શકે છે.

રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને પણ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. સુંદરને રમાડવા માટે આ સિરીઝની ટીમ ઈન્ડિયાની સૌથી મોટી શોધ માનવામાં આવતા નીતિશ કુમાર રેડ્ડીનું બલિદાન આપી શકાય છે. (All Photo Credit : PTI / GETTY)