
એક રિપોર્ટ અનુસાર, રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા શ્રેણી પહેલા 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયા-A સામે ODI શ્રેણીમાં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ ODI મેચો કાનપુરમાં યોજાશે.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા-A સામેની ત્રણેય મેચ રમવા માંગે છે, જેથી તે સારી તૈયારી કરી શકે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણી રોહિત શર્માની છેલ્લી વનડે શ્રેણી હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, BCCI રોહિતને ODI ટીમમાં સ્થાન મેળવવાની રેસમાં રહેવા માટે ડિસેમ્બર 2025માં શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહી શકે છે. જોકે, ODIમાં રોહિત શર્માનો રેકોર્ડ ઘણો સારો છે.

રોહિત શર્માએ 273 ODI મેચની 265 ઈનિંગ્સમાં 48.76ની સરેરાશથી 11168 રન બનાવ્યા છે. જેમાં 32 સદી અને 58 અડધી સદીનો સમાવેશ થાય છે. ODIમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 264 રન છે. (All Photo Credit : PTI / GETTY)