ટી20 વર્લ્ડ કપની ચેમ્પિયન ટીમ પીએમ મોદીને મળી, જુઓ ફોટો

|

Jul 04, 2024 | 3:46 PM

ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યાબાદ ટીમના ખેલાડીઓ મુંબઈ આવવા રવાના થયા છે.

1 / 6
 ભારતીય ટીમના ખેલાડી ટી20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીત્યા બાદ આજે બારબાડોસથી દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ આખી ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

ભારતીય ટીમના ખેલાડી ટી20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી જીત્યા બાદ આજે બારબાડોસથી દિલ્હી પહોંચી હતી. ત્યારબાદ આખી ટીમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

2 / 6
 વર્લ્ડચેમ્પિયન ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. તેમજ પીએમ મોદીએ ટી20 ચેમ્પિયન ટીમના ખેલાડીઓ સાથે વાત પણ કરી હતી. જસપ્રીત બુમરાહ, પંત સહિત તમામ ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરતા જોવા મળ્યા હતા.

વર્લ્ડચેમ્પિયન ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી હતી. તેમજ પીએમ મોદીએ ટી20 ચેમ્પિયન ટીમના ખેલાડીઓ સાથે વાત પણ કરી હતી. જસપ્રીત બુમરાહ, પંત સહિત તમામ ખેલાડીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરતા જોવા મળ્યા હતા.

3 / 6
  વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ખાસ મુલાકાતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, અને લખ્યું છે કે, અમારા માટે સન્માનની વાત છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી.

વિરાટ કોહલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે થયેલી ખાસ મુલાકાતના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, અને લખ્યું છે કે, અમારા માટે સન્માનની વાત છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળી.

4 / 6
 ટીમ સહિત જય શાહ અને રોજર બન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી

ટીમ સહિત જય શાહ અને રોજર બન્નીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી

5 / 6
ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ હવે મુંબઈ જવા માટે રવાના થઈ ચુકી છે.જ્યાં ટીમ પોતાની બસમાં ચાહકો સાથે વિક્ટ્રી પરેડ કરશે. આ પરેડ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે. બસ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ચુકી છે.

ટીમ ઈન્ડિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કર્યા બાદ હવે મુંબઈ જવા માટે રવાના થઈ ચુકી છે.જ્યાં ટીમ પોતાની બસમાં ચાહકો સાથે વિક્ટ્રી પરેડ કરશે. આ પરેડ માટેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચુકી છે. બસ વાનખેડે સ્ટેડિયમ પહોંચી ચુકી છે.

6 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વર્લ્ડકપ જીતવા બદલ શુભકામના પાઠવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને વર્લ્ડકપ જીતવા બદલ શુભકામના પાઠવી હતી.

Next Photo Gallery