
IPL 2025નો લીગ રાઉન્ડ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ચાર ટીમોએ પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સામેલ છે.

જોકે, મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટી ચિંતા ઉભી થઈ છે, જે MIના ફેન્સ અને ટીમ મેનેજમેન્ટને નારાજ કરી શકે છે. પ્લેઓફમાં જે પણ ટીમનો સામનો કરવો પડે તેને હરાવવું સરળ રહેશે નહીં. આ પાછળ એક મોટું કારણ છે.

IPL 2025ના લીગ સ્ટેજમાં મુંબઈ ઈન્ડિયન્સ 14 માંથી 8 મેચ જીતવામાં સફળ રહી અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી. પરંતુ લીગ સ્ટેજમાં MI પ્લેઓફમાં પહોંચેલી અન્ય ત્રણ ટીમો (GT, RCB, PBKS) સામે એક પણ મેચ જીતી શકી નહીં.

મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પહોંચેલી આ ત્રણેય ટીમો (ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ) સામે કુલ 4 મેચ રમી હતી અને આ બધી મેચોમાં MIને હારનો સામનો કરવો પડ્યો હતો.

લીગ સ્ટેજમાં 29 માર્ચે, મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયો. આ પછી, 7 એપ્રિલે, RCBએ MIને 12 રનથી હરાવ્યું. જે બાદ, 6 મેના રોજ, મુંબઈ ફરી એકવાર ગુજરાત સામે હાર્યું. ત્યારબાદ 26 મેના રોજ, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.

આ વખતે IPLનો ઈતિહાસ પણ મુંબઈની વિરુદ્ધ હોય તેવું લાગે છે. હકીકતમાં, આ વખતે તે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આવી સ્થિતિમાં MIને એલિમિનેટર મેચ રમવી પડશે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પણ તે લીગ તબક્કામાં ત્રીજા કે ચોથા સ્થાને રહ્યું છે, ત્યારે તે ફાઈનલમાં પહોંચી શક્યું નથી.

આનો અર્થ એ થયો કે જો મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે ખિતાબ જીતવા માંગે છે, તો તેમણે IPLનો ઈતિહાસ પણ બદલવો પડશે. (All Photo Credit : PTI)