
આ દલીલોના આધારે ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ આ નામને સામાન્ય શબ્દગોચી માનીને ફગાવી દીધું અને માન્યતા આપી કે “કેપ્ટન કૂલ” હવે ફક્ત ઉપનામ નથી, પરંતુ ધોનીના વ્યક્તિત્વ, છબી અને બ્રાન્ડ મૂલ્યનો અગત્યનો ભાગ છે. ટ્રેડમાર્કની મંજૂરી ધોની માટે માત્ર કાયદેસર રક્ષણ પૂરું પાડતી નથી, પણ તેમને વ્યવસાયિક દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવે છે.

ધોનીના વકીલ માનસી અગ્રવાલના જણાવ્યા મુજબ, આ કિસ્સો એ બતાવે છે કે વ્યક્તિગત છબી અને ઓળખને ટ્રેડમાર્ક દ્વારા કેવી રીતે કાયદેસર સુરક્ષા આપી શકાય છે. જો સમાન નામનું ટ્રેડમાર્ક પહેલેથી અસ્તિત્વમાં હોય. આ નિર્ણય એવુ ઉદાહરણ છે કે એક ખેલાડી પોતાની લોકપ્રિયતા અને ઓળખને વ્યાપારી રીતે કેવી રીતે સંભાળી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. વિકેટ પાછળ શાંત ચિંતનશીલ અભિગમ અને ક્રિકેટની નોંધપાત્ર સમજના કારણે તેમને “કેપ્ટન કૂલ” નામ મળ્યું હતું. ભલે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ આજે પણ તેઓ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરીને પોતાના ચાહકોને ખુશ કરતા રહે છે.
Published On - 9:25 pm, Mon, 30 June 25