
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ સિડની ટેસ્ટ સાથે સમાપ્ત થયો. આ પછી હવે ભારતીય ખેલાડીઓ જલદી ભારત પરત ફરવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 7 જાન્યુઆરીએ જ ઓસ્ટ્રેલિયાથી ઉડાન ભરશે. બાકીના ખેલાડીઓ 8 જાન્યુઆરીએ ભારત પરત ફરશે.

વિરાટ અન્ય ખેલાડીઓ કરતા એક દિવસ વહેલો ઓસ્ટ્રેલિયા છોડી રહ્યો છે. જો કે જો ટિકિટ સમયસર મળી ગઈ હોત તો ટીમ ઈન્ડિયાના બાકીના ખેલાડીઓ અત્યાર સુધીમાં ભારત આવી શક્યા હોત.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 નવેમ્બરથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ હતી. વિરાટ સૌથી પહેલા 10 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયા પહોંચ્યો હતો. જ્યારે બાકીના ખેલાડીઓ બાદમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થયા હતા. વિરાટ લગભગ બે મહિનાથી ઓસ્ટ્રેલિયામાં છે.

ખેલાડીઓ લાંબા સમય બાદ ભારત પરત ફરી રહ્યા છે. જો કે વિરાટ ભારત આવે છે કે લંડન જાય છે તે જોવું રહ્યું. કારણ કે વિરાટ તેના પરિવાર સાથે લંડનમાં રહે છે. તેના બાળપણના કોચે ખુલાસો કર્યો હતો કે વિરાટ લંડન શિફ્ટ થવાની યોજના બનાવી રહ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વિરાટ 7 જાન્યુઆરીએ ઓસ્ટ્રેલિયા છોડશે, બાકીના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને હજુ થોડા કલાકો રાહ જોવી પડશે. 8 જાન્યુઆરીએ સવારે અન્ય ભારતીય ખેલાડીઓ પણ ભારત જવા રવાના થશે. (All Photo Credit : PTI / GETTY)