
જસપ્રીત બુમરાહે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વિકેટ લીધી હતી, આ મજબૂત પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ખિતાબ જીતવામાં મદદ કરવામાં સૌથી મોટો ફાળો આપ્યો હતો.

આવી સ્થિતિમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં જસપ્રીત બુમરાહનું રમવું ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. BCCIએ આ ટુર્નામેન્ટ માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી નથી. આવી સ્થિતિમાં બુમરાહની ઈજા કેટલી ગંભીર છે તે ટીમ જાહેર થશે ત્યારે જ ખબર પડશે. (All Photo Credit : PTI)
Published On - 10:31 pm, Wed, 15 January 25