IPL 2025 : રાજસ્થાન રોયલ્સ ફરી કેપ્ટન બદલશે ! સિઝનની પહેલી જીત બાદ આવ્યા મોટા સમાચાર

|

Apr 02, 2025 | 6:35 PM

IPL 2025 સિઝનની ખરાબ શરૂઆત બાદ રાજસ્થાન રોયલ્સે આખરે સફળતાનો સ્વાદ ચાખ્યો. પહેલી બે મેચ હાર્યા બાદ રાજસ્થાન રોયલ્સે ત્રીજી મેચમાં વિજય મેળવ્યો. કાર્યકારી કેપ્ટન રિયાન પરાગના નેતૃત્વ હેઠળ ટીમે જીતનો માર્ગ શોધી કાઢ્યો. પરંતુ આ જીત પછી રાજસ્થાન ફરીથી પોતાનો કેપ્ટન બદલી શકે છે.

1 / 9
રાજસ્થાન રોયલ્સને તે સમાચાર મળ્યા છે જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. ટીમના કેપ્ટન સંજુ સેમસનને BCCI દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે હવે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે. આ સાથે તે આગામી મેચથી ટીમની કમાન પણ સંભાળશે.

રાજસ્થાન રોયલ્સને તે સમાચાર મળ્યા છે જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા. ટીમના કેપ્ટન સંજુ સેમસનને BCCI દ્વારા ફિટ જાહેર કરવામાં આવ્યો છે અને તે હવે વિકેટકીપિંગની જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર છે. આ સાથે તે આગામી મેચથી ટીમની કમાન પણ સંભાળશે.

2 / 9
આંગળીની ઈજાને કારણે સંજુ સેમસન IPL 2025ની પહેલી ત્રણ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ફક્ત બેટિંગ કરવા માટે જ મેદાનમાં ઉતરી રહ્યો હતો. હવે રિયાન પરાગની જગ્યાએ સંજુ સેમસન ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરશે.

આંગળીની ઈજાને કારણે સંજુ સેમસન IPL 2025ની પહેલી ત્રણ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમી રહ્યો હતો અને ફક્ત બેટિંગ કરવા માટે જ મેદાનમાં ઉતરી રહ્યો હતો. હવે રિયાન પરાગની જગ્યાએ સંજુ સેમસન ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરશે.

3 / 9
ક્રિકબઝના એક અહેવાલમાં જણાવાયું છે કે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ની મેડિકલ ટીમ દ્વારા સંજુ સેમસનને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.

ક્રિકબઝના એક અહેવાલમાં જણાવાયું છે કે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ની મેડિકલ ટીમ દ્વારા સંજુ સેમસનને સંપૂર્ણપણે ફિટ જાહેર કરવામાં આવ્યો છે.

4 / 9
રાજસ્થાન રોયલ્સની ત્રીજી મેચ પછી જ સેમસન તેની ફિટનેસ સ્થિતિ તપાસવા માટે બેંગલુરુ સ્થિત COE પહોંચ્યો હતો. અહીં તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી મેડિકલ ટીમે તેને વિકેટકીપિંગ કરવાની પણ મંજૂરી આપી. આ પહેલા સંજુને ફક્ત બેટિંગ કરવાની મંજૂરી હતી.

રાજસ્થાન રોયલ્સની ત્રીજી મેચ પછી જ સેમસન તેની ફિટનેસ સ્થિતિ તપાસવા માટે બેંગલુરુ સ્થિત COE પહોંચ્યો હતો. અહીં તેની સંપૂર્ણ તપાસ કર્યા પછી મેડિકલ ટીમે તેને વિકેટકીપિંગ કરવાની પણ મંજૂરી આપી. આ પહેલા સંજુને ફક્ત બેટિંગ કરવાની મંજૂરી હતી.

5 / 9
જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન એક મેચમાં સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારથી તે આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો.

જાન્યુઆરી મહિનામાં ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન એક મેચમાં સંજુ સેમસનને આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારથી તે આંગળીની ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો હતો.

6 / 9
IPLની શરૂઆતમાં સંજુને બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે તેની આંગળીની સ્થિતિને કારણે તેને વિકેટકીપિંગ કે ફિલ્ડિંગ કરવાની મનાઈ ફરમાવી હતી.

IPLની શરૂઆતમાં સંજુને બેટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ સેન્ટર ઓફ એક્સેલન્સની મેડિકલ ટીમે તેની આંગળીની સ્થિતિને કારણે તેને વિકેટકીપિંગ કે ફિલ્ડિંગ કરવાની મનાઈ ફરમાવી હતી.

7 / 9
આવી સ્થિતિમાં, રાજસ્થાન રોયલ્સે આ સિઝનની પહેલી 3 મેચમાં સેમસનનો ઉપયોગ ફક્ત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કર્યો હતો અને તે ફક્ત બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

આવી સ્થિતિમાં, રાજસ્થાન રોયલ્સે આ સિઝનની પહેલી 3 મેચમાં સેમસનનો ઉપયોગ ફક્ત ઈમ્પેક્ટ પ્લેયર તરીકે કર્યો હતો અને તે ફક્ત બેટિંગ કરતો જોવા મળ્યો હતો.

8 / 9
આવા સમયે રિયાન પરાગે ટીમની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનને પહેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્રીજી મેચમાં ટીમે જોરદાર વાપસી કરી ચેન્નાઈને હરાવીને સિઝનની પહેલી જીત નોંધાવી હતી.

આવા સમયે રિયાન પરાગે ટીમની કમાન સંભાળી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ રાજસ્થાનને પહેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ત્રીજી મેચમાં ટીમે જોરદાર વાપસી કરી ચેન્નાઈને હરાવીને સિઝનની પહેલી જીત નોંધાવી હતી.

9 / 9
પરંતુ હવે કેપ્ટન સેમસન ફરી એકવાર કેપ્ટન-વિકેટકીપર તરીકે ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. રાજસ્થાનનો આગામી મુકાબલો 5 એપ્રિલે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચથી જ સંજુ ટીમની કપ્તાની કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)

પરંતુ હવે કેપ્ટન સેમસન ફરી એકવાર કેપ્ટન-વિકેટકીપર તરીકે ટીમમાં પરત ફરવા માટે તૈયાર છે. રાજસ્થાનનો આગામી મુકાબલો 5 એપ્રિલે મુલ્લાનપુરમાં પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચથી જ સંજુ ટીમની કપ્તાની કરતો જોવા મળી શકે છે. (All Photo Credit : PTI)

Published On - 6:34 pm, Wed, 2 April 25

Next Photo Gallery