
પંજાબ સામેની મેચમાં આંદ્ર રસેલ કેકેઆરની જીતની મોટો હીરો બનવાના ચાન્સ હતા પરંતુ હીરો ને બદલે હવે વિલન બની ગયો છે. આંદ્ર રસેલ સાતમાં ક્રમે બેટિંગ કરવા આવ્યો હતો અને તેમણે 11 બોલમાં 17 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં એક ચોગ્ગો અને 2 સિક્સ સામેલ છે.

જ્યારે KKRની ટીમ હારી ગઈ, ત્યારે તેમને જીતવા માટે 30 બોલમાં ફક્ત 17 રનની જરૂર હતી. તે સ્ટ્રાઈક પર પણ આવ્યો, પરંતુ 16મી ઓવરના પહેલા બોલ પર આઉટ થઈને પેવેલિયન ગયો અને કોલકાતાની ટીમ મેચ હારી ગઈ.

આ વર્ષની IPLમાં તે એક પણ એવી ઇનિંગ રમી શક્યો નથી જેને યાદ રાખી શકાય. રસેલે RCB સામેની પહેલી મેચમાં ફક્ત ચાર રન બનાવ્યા હતા. આ પછી, તેણે રાજસ્થાન સામેની મેચમાં બેટિંગ કરી ન હતી. રસેલ મુંબઈ સામે ફક્ત પાંચ રન બનાવીને આઉટ થયો હતો.

રસેલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે માત્ર એક રનની ઇનિંગ રમી હતી. તે LSG સામે માત્ર સાત રન બનાવી શક્યો અને CSK સામે બેટિંગ કરી શક્યો નહીં.