
બીસીસીઆઈના સુત્રો મુજબ રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, આ ઈજા થોડી સીરિયસ છે. ત્યારે તેને આ ફેક્ચર ફરી ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

તેણે BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સમાં બોલિંગ શરૂ કરી દીધી છે. પરંતુ તેને સંપૂર્ણ ફોર્મમાં પાછા આવવામાં થોડો સમય લાગી શકે છે. હાલમાં તેમના પાછા ફરવાની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. પરંતુ, શક્ય છે કે તે એપ્રિલના મધ્ય સુધીમાં પાછો ફરે. આકાશદીપ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે તે 10 એપ્રિલ સુધીમાં પાછો ફરી શકે છે.

બીસીસીઆઈની મેડિકલ ટીમને એવું પણ લાગી રહ્યું છે કે, જો સીધો તેનો વર્કલોડ વધારવામાં આવે તો ખતરાને આમંત્રણ આપ્યા જેવું છે. બુમરાહને હજુ આરામ આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પાછળ ઈંગ્લેન્ડમાં રમાનારી ટેસ્ટ સીરિઝ પણ છે. જે આઈપીએલ 2025 બાદ થઈ શકે છે.