
ODI સિરીઝની પ્રથમ મેચ 1 ઓગસ્ટે, બીજી મેચ 4 ઓગસ્ટે અને ત્રીજી મેચ 7 ઓગસ્ટના રોજ રમાશે. આ ત્રણેય મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે.

શ્રીલંકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. અહેવાલો અનુસાર, વિરાટ કોહલી અને રોહિત શર્મા આ પ્રવાસ પર નહીં જાય. આ ઉપરાંત જસપ્રીત બુમરાહને પણ આરામ આપવામાં આવશે. મોટા સમાચાર એ છે કે હાર્દિક પંડ્યા T20 ટીમનો કેપ્ટન હશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની કમાન સોંપવામાં આવશે.
Published On - 7:27 pm, Thu, 11 July 24