
ભારત અને શ્રીલંકાની પહેલી વનડે મેચ 2 ઓગસ્ટ એટલે કે,શુક્રવારના રોજ કોલંબોમાં રમાશે. પહેલી વનડે મેચ બપોરના 2 :30 કલાકે રમાશે.તેમજ તમે ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચને લઈ તમામ અપટેડો ટીવી 9 ગુજરાતીની વેબસાઈટ પર જોઈ શકો છો.

કે.એલ રાહુલ અને શ્રેયસ અય્યર પર સૌની નજર રહેશે. રાહુલ અને અય્યર લાંબા સમય બાદ ભારતીય ટીમ માટે રમશે. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા માટે છેલ્લી મેચ ફેબ્રુઆરી 2024માં રમી હતી. જે ટ્સ્ટ મેચ હતી, તો કે,એલ રાહુલે તેની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ જાન્યુઆરી 2024માં રમી હતી.

શ્રીલંકા પ્રવાસ પર ભારતીય વનડે ટીમ જોઈએ તો, રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ , વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રિયાન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહમદ, હર્ષિત રાણા