
બીસીસીઆઈએ 30 એપ્રિલના રોજ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રોહિત શર્મા ટીમના કેપ્ટન હશે અને હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં છે.

તમને જણાવી દઈએ કે, ટી20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન અત્યારસુધી 7 વખત આમને-સામને આવી છે. 5 વખત ભારતીય ટીમ જીત મેળવી છે. એક વખત પાકિસ્તાન અને એક વખત મેચ ટાઈ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચ 5 જૂનના રોજ આયરલેન્ડ સામે છે.
Published On - 11:57 am, Thu, 30 May 24