Warm-Up Match Rules: વોર્મ-અપ મેચમાં કેમ નથી હોતી પ્લેઈંગ-11? જાણો આ ખાસ નિયમ

ભારત અને શ્રીલંકા ક્રિકેટ 11 વચ્ચે 7 ઓગસ્ટથી કોલંબોમાં ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચ શરૂ થઈ છે. આ મેચમાં સત્તાવાર ટેસ્ટની જેમ પ્લેઈંગ-11ના કડક નિયમો લાગુ પડતા નથી. વોર્મ-અપ મેચનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓને પરિસ્થિતિથી પરિચિત કરાવવાનો હોય છે. ચાલો વોર્મ અપ મેચના નિયમો વિશે જાણીએ.

| Updated on: Aug 08, 2026 | 8:43 PM
1 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. તેના પહેલા એક પ્રેક્ટિસ મેચ બંને ટીમો માટે તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે 15 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. તેના પહેલા એક પ્રેક્ટિસ મેચ બંને ટીમો માટે તૈયારીઓની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

2 / 5
વોર્મ-અપ મેચમાં કેપ્ટનને નિશ્ચિત પ્લેઈંગ-11 જાહેર કરવાનો નિયમ નથી. ટીમના વધુ ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકાય છે.

વોર્મ-અપ મેચમાં કેપ્ટનને નિશ્ચિત પ્લેઈંગ-11 જાહેર કરવાનો નિયમ નથી. ટીમના વધુ ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકાય છે.

3 / 5
આવી મેચમાં ટીમના તમામ ખેલાડીઓને બેટિંગ કરવાની તક મળી શકે છે. કેટલાક કિસ્સામાં તમામ 15 ખેલાડીઓ બેટિંગ કરી શકે છે.

આવી મેચમાં ટીમના તમામ ખેલાડીઓને બેટિંગ કરવાની તક મળી શકે છે. કેટલાક કિસ્સામાં તમામ 15 ખેલાડીઓ બેટિંગ કરી શકે છે.

4 / 5
બોલિંગમાં પણ ટીમો પોતાના દરેક ખેલાડી પાસે બોલિંગ કરાવી શકે છે. કેપ્ટન જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ બોલરોને બોલિંગ આપી શકે છે.

બોલિંગમાં પણ ટીમો પોતાના દરેક ખેલાડી પાસે બોલિંગ કરાવી શકે છે. કેપ્ટન જરૂરિયાત પ્રમાણે અલગ-અલગ બોલરોને બોલિંગ આપી શકે છે.

5 / 5
ખાસ વાત એ છે કે કોઈ બેટ્સમેન આઉટ થયા બાદ તેને ફરી બેટિંગ માટે બોલાવી શકાય છે. જોકે, આ પ્રકારના નિયમો પ્રેક્ટિસ મેચના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. (PC:X/BCCI)

ખાસ વાત એ છે કે કોઈ બેટ્સમેન આઉટ થયા બાદ તેને ફરી બેટિંગ માટે બોલાવી શકાય છે. જોકે, આ પ્રકારના નિયમો પ્રેક્ટિસ મેચના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને નક્કી થાય છે. (PC:X/BCCI)

Follow Us
Loading...
Unable to load recommendations.