IND vs SL: ટીમ ઈન્ડિયાને લાગશે ત્રીજો ઝટકો? બુમરાહ-સુદર્શન બાદ હવે આ સ્ટાર પણ થશે બહાર!

શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન બાદ હવે વધુ એક સ્ટાર ખેલાડી પણ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. હેમસ્ટ્રિંગની ઈજામાંથી હજુ સંપૂર્ણ સ્વસ્થ ન થયેલા આ ખેલાડીની ફિટનેસને લઈને ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા તૈયાર નથી.

| Updated on: Aug 12, 2026 | 8:57 PM
1 / 5
ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલાં જ બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે.

ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલાં જ બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે.

2 / 5
હવે વોશિંગ્ટન સુંદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

હવે વોશિંગ્ટન સુંદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

3 / 5
સુંદરને શ્રીલંકા પ્રવાસ માટે માત્ર બીજી ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાવાની છે.

સુંદરને શ્રીલંકા પ્રવાસ માટે માત્ર બીજી ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાવાની છે.

4 / 5
જોકે, અહેવાલો અનુસાર ટીમ મેનેજમેન્ટ સુંદરને ઉતાવળમાં મેદાન પર ઉતારવા માંગતું નથી. સંપૂર્ણ ફિટનેસ અને પૂરતી પ્રેક્ટિસ બાદ જ તેને રમાડવાનો નિર્ણય લેવામાં આવશે.

જોકે, અહેવાલો અનુસાર ટીમ મેનેજમેન્ટ સુંદરને ઉતાવળમાં મેદાન પર ઉતારવા માંગતું નથી. સંપૂર્ણ ફિટનેસ અને પૂરતી પ્રેક્ટિસ બાદ જ તેને રમાડવાનો નિર્ણય લેવામાં આવશે.

5 / 5
BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ખેલાડીઓની વધતી ઈજાઓને કારણે ચર્ચામાં છે. જો સુંદર શ્રેણીમાંથી બહાર થાય તો તેના સ્થાને નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની શક્યતા પણ ઓછી હોવાનું કહેવાય છે. (PC:PTI/X)

BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ખેલાડીઓની વધતી ઈજાઓને કારણે ચર્ચામાં છે. જો સુંદર શ્રેણીમાંથી બહાર થાય તો તેના સ્થાને નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની શક્યતા પણ ઓછી હોવાનું કહેવાય છે. (PC:PTI/X)

Published On - 8:55 pm, Wed, 12 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.