
ભારતીય ટીમને શ્રીલંકા પ્રવાસ પહેલાં જ બે મોટા ઝટકા લાગી ચૂક્યા છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શન ઈજાના કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે.

હવે વોશિંગ્ટન સુંદરની સ્થિતિ પણ ચિંતાજનક છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન તેને હેમસ્ટ્રિંગની ઈજા થઈ હતી અને તે હજુ સંપૂર્ણ રીતે ફિટ થયો નથી.

સુંદરને શ્રીલંકા પ્રવાસ માટે માત્ર બીજી ટેસ્ટ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. આ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાવાની છે.

જોકે, અહેવાલો અનુસાર ટીમ મેનેજમેન્ટ સુંદરને ઉતાવળમાં મેદાન પર ઉતારવા માંગતું નથી. સંપૂર્ણ ફિટનેસ અને પૂરતી પ્રેક્ટિસ બાદ જ તેને રમાડવાનો નિર્ણય લેવામાં આવશે.

BCCIનું સેન્ટર ઓફ એક્સેલન્સ પણ ખેલાડીઓની વધતી ઈજાઓને કારણે ચર્ચામાં છે. જો સુંદર શ્રેણીમાંથી બહાર થાય તો તેના સ્થાને નવા ખેલાડીને ટીમમાં સામેલ કરવાની શક્યતા પણ ઓછી હોવાનું કહેવાય છે. (PC:PTI/X)
Published On - 8:55 pm, Wed, 12 August 26