
ગાલેમાં ભારત સામે કારમી હાર બાદ શ્રીલંકા હવે કોલંબો ટેસ્ટમાં અલગ રણનીતિ સાથે ઉતરવાની તૈયારીમાં છે. અહેવાલો અનુસાર, પિચમાં ગાલેની સરખામણીએ ઓછો ટર્ન રાખવામાં આવી શકે છે.

શુક્રવારે ભારતીય ટીમે સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબમાં પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે પણ પિચનું નિરીક્ષણ કર્યું હતું.

કોલંબોની પિચ પરંપરાગત રીતે સ્પિનરોને મદદરૂપ રહી છે, પરંતુ આ વખતે સંતુલિત પિચ તૈયાર કરવાની યોજના હોવાનું કહેવાય છે. ઝડપી બોલરો અને સ્પિનરો બંનેને મદદ મળે તેવી સ્થિતિ જોવા મળી શકે છે.

શ્રીલંકા ક્રિકેટ બોર્ડના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ટીમમાં અનુભવી બેટર્સની ગેરહાજરીને કારણે રણનીતિ બદલવામાં આવી રહી છે. યુવા બેટર્સને રન બનાવવાની વધુ તક મળે તે માટે પિચમાં ફેરફાર થઈ શકે છે.

જોકે, શ્રીલંકાનો આ નિર્ણય ટીમ ઈન્ડિયા માટે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. શુભમન ગિલ, કેએલ રાહુલ, પંત અને પડિક્કલ જેવા ભારતીય બેટર્સને બેટિંગ માટે અનુકૂળ સ્થિતિ મળે તો તેઓ મોટો સ્કોર કરી શકે છે. (PC:PTI/X)
Published On - 9:32 pm, Fri, 21 August 26