IND vs SL : ગૌતમ ગંભીરના આ નિર્ણયથી ટીમ ઈન્ડિયાને થયું નુકસાન, રણનીતિ નહીં બદલી તો 27 વર્ષ બાદ શ્રીલંકામાં હારશે ભારત!

ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે શ્રેણીની ત્રીજી મેચ બુધવારે કોલંબોમાં રમાશે. વનડે શ્રેણીમાં શ્રીલંકા 1-0થી આગળ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી. હવે શ્રેણી બચાવવા માટે ભારતીય ટીમ માટે કોઈપણ ભોગે જીતવું જરૂરી છે. જો કે આ માટે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પોતાની રણનીતિ પર પુનર્વિચાર કરવો પડશે.

| Updated on: Aug 06, 2024 | 5:42 PM
1 / 5
ટીમ ઈન્ડિયાના ચાહકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની આટલી ખરાબ હાલત થશે. ભારતીય ટીમ હવે વનડે શ્રેણી તો જીતી નહીં જ શકે, પરંતુ હવે શ્રેણી હારવાની પરિસ્થિતિ આવી ગઈ છે.

ટીમ ઈન્ડિયાના ચાહકોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમની આટલી ખરાબ હાલત થશે. ભારતીય ટીમ હવે વનડે શ્રેણી તો જીતી નહીં જ શકે, પરંતુ હવે શ્રેણી હારવાની પરિસ્થિતિ આવી ગઈ છે.

2 / 5
કોલંબોમાં બીજી વનડે મેચ હાર્યા બાદ ભારતીય ટીમની આવી હાલત થઈ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે આ શ્રેણીમાં ભારે પડી છે.

કોલંબોમાં બીજી વનડે મેચ હાર્યા બાદ ભારતીય ટીમની આવી હાલત થઈ છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને બીજી મેચમાં યજમાન ટીમે જીત મેળવી હતી, એટલે કે હવે ટીમ ઈન્ડિયાએ શ્રેણી બચાવવા માટે કોઈપણ ભોગે ત્રીજી મેચ જીતવી પડશે. પરંતુ હવે આ એટલું સરળ નથી અને તેનું કારણ ગૌતમ ગંભીરની વ્યૂહરચના છે જે આ શ્રેણીમાં ભારે પડી છે.

3 / 5
ODI સિરીઝમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી વનડેની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા.

ODI સિરીઝમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીરની સૌથી મોટી ભૂલ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડર સાથે ચેડા કરવાની હતી. બીજી વનડેની વાત કરીએ તો ગૌતમ ગંભીરે શિવમ દુબેને નંબર 4 પર મોકલ્યો, ત્યારબાદ તેણે અક્ષર પટેલને મેદાનમાં ઉતાર્યો અને શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓ 6 અને 7 નંબર પર બેટિંગ કરવા આવ્યા.

4 / 5
પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

પ્રથમ વનડેમાં પણ ગૌતમ ગંભીરે રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલીના બેટિંગ ઓર્ડર સાથે છેડછાડ કરી ન હતી પરંતુ તે પછી તેણે વોશિંગ્ટન સુંદરને ચોથા નંબર પર ઉતાર્યો હતો. જેના કારણે અય્યર અને કેએલ રાહુલનો બેટિંગ ઓર્ડર નીચે સરકી ગયો. સ્પષ્ટ છે કે આના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું છે. હવે જોવાનું એ રહે છે કે છેલ્લી વનડે મેચમાં ટીમ ઈન્ડિયાની રણનીતિ શું છે.

5 / 5
ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

ભારતીય ટીમ પર 27 વર્ષ બાદ શ્રીલંકામાં વનડે સિરીઝ હારવાનો ખતરો છે. ભારતને છેલ્લે 1997માં શ્રીલંકા સામેની વનડે શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે અર્જુન રણતુંગાની આગેવાની હેઠળની ટીમે ત્રણેય મેચોમાં સચિન તેંડુલકરની ભારતીય ટીમને હરાવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે 11 વનડે શ્રેણી રમાઈ છે અને તે તમામમાં ભારતીય ટીમે જીત મેળવી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.