
બુમરાહે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, 'રોહિત-વિરાટ નિવૃત્ત થયા તે પહેલા, IPL દરમિયાન, મેં BCCI સાથે વાત કરી, પાંચ મેચની ટેસ્ટ શ્રેણી દરમિયાન વર્કલોડ મેનેજમેન્ટ પર ચર્ચા કરી, મારી ઈન્જરીનું ધ્યાન રાખનારાઓ સાથે વાત કરી. જે પછી અમે આ નિષ્કર્ષ પર આવ્યા કે આપણે થોડા વધુ સ્માર્ટ બનવું પડશે, પછી મેં BCCIને ફોન કર્યો અને કહ્યું હું કેપ્ટનશીપ માટે હું તૈયાર નથી, કારણ કે હું બધી ટેસ્ટ મેચ રમી શકીશ નહીં.'

બુમરાહે આગળ કહ્યું, 'BCCI મને કેપ્ટનશીપની ભૂમિકા તરીકે જોઈ રહ્યું હતું, પરંતુ મારે તેમને ના કહેવું પડ્યું કારણ કે જ્યારે કોઈ કેપ્ટનશીપ કરી રહ્યું હોય છે, ત્યારે તે આદર્શ નથી કે કોઈ 3 ટેસ્ટ મેચમાં જવાબદારી સંભાળે અને પછી કોઈ બીજાએ બાકીની ટેસ્ટ મેચનું નેતૃત્વ કરવું પડે. તેથી તે ટીમ માટે યોગ્ય નથી કારણ કે હું ટીમને પહેલા રાખવા માંગતો હતો.'

છેલ્લા કેટલાક વર્ષોમાં, પીઠની ઈજાએ બુમરાહને ખૂબ જ પરેશાન કર્યો છે. ભારત-ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં પીઠની ઈજાને કારણે છેલ્લી મેચની વચ્ચે જ તે મેદાન છોડી બહાર ચાલ્યો ગયો. આ પછી, તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમી શક્યો નહીં. આવી સ્થિતિમાં, બુમરાહ ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવા માંગતો નથી, જેથી તે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે. (All Photo Credit : PTI)