IND vs ENG : 10 કિલો વજન ઘટાડ્યું, ટીમ ઈન્ડિયાના ખેલાડીની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે અનોખી તૈયારી

ટીમ ઈન્ડિયાનો એક ખેલાડી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે સખત તૈયારી કરી રહ્યો છે. આ ખેલાડીએ પોતાનો ડાયેટ બદલ્યો છે અને સખત મહેનત કરી 10 કિલો વજન પણ ઘટાડ્યું છે. આ ખેલાડીને ઈંગ્લેન્ડ લાયન્સ સામે રમાનારી સીરિઝ માટે ઈન્ડિયા A ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ભારતીય સિનિયર ટીમમાં પસંદગી પામવા માટે પણ એક મોટો દાવેદાર છે.

| Updated on: May 19, 2025 | 5:24 PM
4 / 6
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, સરફરાઝ ખાને ફિટ રહેવા માટે બાફેલા શાકભાજી અને ચિકનનો કડક ડાયેટ પ્લાન ફોલો કર્યો છે, જેના કારણે તે 10 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, સરફરાઝ ખાને ફિટ રહેવા માટે બાફેલા શાકભાજી અને ચિકનનો કડક ડાયેટ પ્લાન ફોલો કર્યો છે, જેના કારણે તે 10 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો છે.

5 / 6
આ ઉપરાંત, તે દિવસમાં બે વાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. જેમાં તેનું મુખ્ય ધ્યાન સ્ટમ્પની બહાર જતાં બોલને ટેકનિકની સાથે રમવાનું છે, જે ઈંગ્લેન્ડની સ્વિંગિંગ પરિસ્થિતિઓમાં સફળતાની ચાવી માનવામાં આવે છે.

આ ઉપરાંત, તે દિવસમાં બે વાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. જેમાં તેનું મુખ્ય ધ્યાન સ્ટમ્પની બહાર જતાં બોલને ટેકનિકની સાથે રમવાનું છે, જે ઈંગ્લેન્ડની સ્વિંગિંગ પરિસ્થિતિઓમાં સફળતાની ચાવી માનવામાં આવે છે.

6 / 6
સરફરાઝ ખાને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી છે, તેણે આ બધી મેચ ફક્ત ભારતમાં જ રમી છે. જેમાં તેણે 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તે છેલ્લે ટીમ ઈન્ડિયા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચ નવેમ્બર 2024માં રમાઈ હતી. (All Photo Credit : PTI / Getty Images / INSTAGRAM)

સરફરાઝ ખાને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી છે, તેણે આ બધી મેચ ફક્ત ભારતમાં જ રમી છે. જેમાં તેણે 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તે છેલ્લે ટીમ ઈન્ડિયા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચ નવેમ્બર 2024માં રમાઈ હતી. (All Photo Credit : PTI / Getty Images / INSTAGRAM)