
ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, સરફરાઝ ખાને ફિટ રહેવા માટે બાફેલા શાકભાજી અને ચિકનનો કડક ડાયેટ પ્લાન ફોલો કર્યો છે, જેના કારણે તે 10 કિલો વજન ઘટાડવામાં સફળ રહ્યો છે.

આ ઉપરાંત, તે દિવસમાં બે વાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. જેમાં તેનું મુખ્ય ધ્યાન સ્ટમ્પની બહાર જતાં બોલને ટેકનિકની સાથે રમવાનું છે, જે ઈંગ્લેન્ડની સ્વિંગિંગ પરિસ્થિતિઓમાં સફળતાની ચાવી માનવામાં આવે છે.

સરફરાઝ ખાને અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 6 ટેસ્ટ મેચ રમી છે, તેણે આ બધી મેચ ફક્ત ભારતમાં જ રમી છે. જેમાં તેણે 37.10ની સરેરાશથી 371 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે એક સદી અને 3 અડધી સદી પણ ફટકારી છે. તે છેલ્લે ટીમ ઈન્ડિયા માટે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે રમ્યો હતો. આ મેચ નવેમ્બર 2024માં રમાઈ હતી. (All Photo Credit : PTI / Getty Images / INSTAGRAM)