
મેચની શરૂઆતથી અંત સુધી એવું માનવામાં આવતું હતું કે જયસ્વાલને આ મેચમાં તક મળી કારણ કે વિરાટ ઈજાને કારણે રમી રહ્યો ન હતો. પરંતુ મેચ સમાપ્ત થયા પછી અય્યરે મોટો ખુલાસો કરીને બધાને ચોંકાવી દીધા. મેચ પછી બ્રોડકાસ્ટર સાથે વાત કરતા અય્યરે કહ્યું, "તમે બધા જાણો છો કે મારે આજની મેચમાં રમવાનું નહોતું. કમનસીબે વિરાટ કોહલી ઘાયલ થયો અને મને તક મળી. મેં મારી જાતને તૈયાર રાખી હતી."

અય્યરે એમ પણ કહ્યું કે આગળ પણ તેની સાથે આવું જ કંઈક બન્યું હતું. ભારતીય બેટ્સમેને કહ્યું, “મને ખબર હતી કે મને ગમે ત્યારે રમવાની તક મળી શકે છે. ગયા વર્ષે (2023) એશિયા કપમાં મારી સાથે પણ આવું જ કંઈક બન્યું હતું, જ્યારે હું ઘાયલ થયો અને ટીમમાં કોઈ બીજાએ આવીને સદી ફટકારી હતી."

હવે પ્રશ્ન એ છે કે ટીમ મેનેજમેન્ટ શ્રેયસને કેમ રમાડવા માંગતા ન હતા? કેપ્ટન અને કોચને શ્રેયસ અય્યર પર વિશ્વાસ નથી? કે પછી આ મેચમાં અય્યરને બ્રેક આપીને જયસ્વાલની કસોટી કરવા માંગતા હતા? કારણ ગમે તે હોય, અય્યરે પોતાના પ્રદર્શન દ્વારા કોચ અને કેપ્ટનને બતાવી દીધું છે કે આ શ્રેણીમાં અને કદાચ ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેને પડતો મૂકવા વિશે વિચારવું પણ યોગ્ય નહીં હોય. (All Photo Credit : PTI / X / BCCI)
Published On - 11:00 pm, Thu, 6 February 25