
સૂર્યાને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમમાં સ્થાન ન મળવાનું દુઃખ નથી. તેના બદલે, તેને અફસોસ છે કે તે ODI ફોર્મેટમાં સારું રમી શક્યો નથી. સૂર્યકુમારે વધુમાં કહ્યું, 'એ વિચારીને દુઃખ થાય છે કે મેં સારું પ્રદર્શન કર્યું નથી. અને જો મેં સારું કર્યું હોત, તો હું ત્યાં જ રહ્યો હોત. જો હું સારું પ્રદર્શન ન કરી શકું, તો ખરેખર સારું પ્રદર્શન કરી શકે તેવી વ્યક્તિ ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ભારતીય ટીમમાં આવવાને લાયક છે.

સૂર્યકુમાર T20 ઈન્ટરનેશનલમાં શાનદાર બેટ્સમેન છે. તેણે 4 સદીની મદદથી 2500થી વધુ રન બનાવ્યા છે. પરંતુ ODIમાં તેણે 37 મેચમાં એક પણ સદી નોંધાવી નથી. તેણે 35 ઈનિંગ્સમાં 4 અડધી સદીની મદદથી 736 રન બનાવ્યા હતા. સૂર્યાની સરેરાશ 25.8 છે. (All Photo Credit : PTI)
Published On - 8:29 pm, Tue, 21 January 25