
રવીન્દ્ર જાડેજાએ આખી મેચ દરમિયાન શાનદાર બોલિંગ કરી. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા તે ફોર્મમાં દેખાયો હતો. તેણે નાગપુર વનડેમાં 9 ઓવર ફેંકી અને 2.9 ની ઈકોનોમીથી માત્ર 26 રન આપીને 3 વિકેટ લીધી. આ દરમિયાન તેણે એક મેડન ઓવર પણ ફેંકી હતી.

નાગપુર વનડેમાં ત્રીજી વિકેટ લેતા જ રવીન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ પણ પૂર્ણ કરી હતી. રવીન્દ્ર જાડેજા આવું કરનાર માત્ર પાંચમો ભારતીય બોલર છે. તેણે 411 ઈનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ મેચ પહેલા તેણે 597 વિકેટ લીધી હતી. રાશિદ તેનો 600મો શિકાર બન્યો હતો. (All Photo Credit : PTI)
Published On - 6:01 pm, Thu, 6 February 25