
જોકે, તેઓ ક્યારે પહોંચશે તે હજુ સ્પષ્ટ નથી. તે પણ સ્પષ્ટ નથી કે તેના માતા-પિતા બંને મુસાફરી કરશે કે નહીં, પરંતુ પરિવારનો એક સભ્ય શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં તેની સાથે રહેશે.

શ્રેયસ અય્યરની પાંસળીઓમાંથી લોહી નીકળી રહ્યું છે. આ કારણે તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. જો આગામી 48 કલાકમાં તેની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તેને બીજા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં રહેવું પડી શકે છે.

અહેવાલો અનુસાર સિડનીમાં ડોકટરોની એક ટીમ તેની દેખરેખ રાખી રહી છે, અને ભારતીય ક્રિકેટ ટીમના ડોક્ટર રિઝવાન પણ તેની સાથે છે. BCCIના નિવેદન અનુસાર, શ્રેયસ અય્યરની ઈજા ગંભીર નથી અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. (All Photo Credit : PTI / GETTY)