
ઓસ્ટ્રેલિયાની ટીમે તેની પ્રથમ ઈનિંગમાં 445 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 51 રન જ બનાવી શકી હતી અને 4 વિકેટ ગુમાવી દીધી હતી. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનોએ રમતના ચોથા દિવસે ખાસ પ્રદર્શન કરવું જરૂરી હતું.

ચોથા દિવસે ભારતીય ટીમ ફોલોઓનને ટાળવામાં સફળ રહી હતી. આ સાથે ચોથા દિવસની રમત પણ સમાપ્ત થઈ હતી. બુમરાહ અને આકાશદીપ વચ્ચે 10મી વિકેટ માટે 39 રનની અણનમ ભાગીદારીને કારણે ભારતીય ટીમ તેના માથા પર ફોલોઓનના જોખમને ટાળવામાં સફળ રહી હતી. (All Photo Credit : X / BCCI / ICC)
Published On - 2:49 pm, Tue, 17 December 24