
આકાશ ચોપરાએ કહ્યું, ચેમ્પિયન્સ ટ્રોફી ICC ઈવેન્ટ છે. બ્રોડકાસ્ટર્સ ચૂકવણી કરે છે. ભારત ત્યાં રમશે તો જ તમને પૈસા મળશે. જો ભારત ન રમે, તો કમાણી નહીં થાય અને ICC ને ભયંકર નુકસાન થશે. ભારત વિના કમાણી શક્ય નથી.

PCB હવે BCCIના આ નિર્ણયને પચાવી શક્યું નથી. PCB બૂમો પાડી રહ્યું છે કે જો ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં આવે તો ભવિષ્યમાં તેના પરિણામો સારા નહીં આવે. દરમિયાન, પાકિસ્તાની મીડિયામાંથી સમાચાર આવી રહ્યા છે કે PCB ટૂંક સમયમાં ICCને એક પત્ર લખશે, જેમાં તે ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન ન આવવાનું લેખિત કારણ પૂછશે. PCB આવો જ પત્ર BCCIને પણ લખવા જઈ રહ્યું છે. (All Photo Credit : PTI / Instagarm)