
પરંતુ ચાહકોએ ફેબ્રુઆરીની શરુઆતમાં તમામ ટિકિટ ઓનલાઈન અને સીધી સેન્ટર પરથી ખરીદી લીધી હતી. જેમાં કેટલાક ચાહકો ખાલી હાથ રહ્યા હતા. હવે આઈસીસીએ ટીમ ઈન્ડિયાની મેચ માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ચાહકો માટે 16 ફેબ્રુઆરીના રોજ બપોરે 1.30 વાગ્યાથી વધારાની ટિકિટ ઉપલબ્ધ થશે. આ સમય દરમિયાન, ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાની તમામ ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ ખરીદી શકશે.