
રવિન્દ્ર જાડેજા 36 વર્ષનો છે. વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દી આ ઉંમરે સમાપ્ત થઈ ગઈ, પણ જાડેજા આ ઉંમરે વાઈસ કેપ્ટન બન્યો. આ કેવી રીતે બન્યું ? ભારતીય ટીમના પસંદગીકારોએ જાડેજામાં શું જોયું ?

રવિન્દ્ર જાડેજાના પ્રમોશનનું સાચું કારણ ઈંગ્લેન્ડ તેનું શાનદાર પ્રદર્શન છે. જાડેજાએ ઈંગ્લેન્ડમાં 86 ની સરેરાશથી 516 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને પાંચ અડધી સદી પણ ફટકારી. જાડેજાએ સાત વિકેટ પણ લીધી હતી.

રવિન્દ્ર જાડેજા ભારતીય પીચ પર બેટ અને બોલ બંનેથી મેચ જીતાડી શકે છે . જાડેજા વિશ્વનો નંબર વન ટેસ્ટ ઓલરાઉન્ડર છે. આ જ કારણ છે કે, તેના પ્રદર્શન અને અનુભવને જોતાં, આ જવાબદારી તેને સોંપવામાં આવી છે. (All Photo Credit : PTI / GETTY)
Published On - 9:59 pm, Thu, 25 September 25