
ગુજરાત ટાઈટન્સની ટીમે આશીષ નેહરાને તેમના કોચ બનાવ્યા હતા. કોચ તરીકે નેહરા ઘણુ સારુ કામ કરી રહ્યા હતા પરંતુ એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે આઈપીએલ 2023 બાદ હાર્દિક અને આશિષ નહેરાના સંબંધોમાં અંતર આવ્યુ છે.

જો કે મીડિયા સાથે આ અંગે બંનેમાંથી કોઈએ ક્યારેય ખુલીને કશુ પણ બોલ્યા નથી. પરંતુ અંદરોઅંદર તેની ચર્ચા જરૂર થતી હતી.

હાર્દિક પંડ્યા વિશ્વના સારા ઓલરાઉન્ડર પૈકીના એક ગણાય છે. પરંતુ તેમની ખરાબ ફિટનેસ તેમના માટે સતત મુસીબત બની રહી છે. બેક ઈંજરીના કારણે લાંબા સમય સુધી બોલિંગથી દૂર રહ્યા હતા.
Published On - 6:08 pm, Sun, 26 November 23